Home> Gujarat
Advertisement
Prev
Next

મુંબઈ બ્લાસ્ટ કેસના દાઉદના 4 આરોપીઓ અમદાવાદમાંથી ઝડપાયા, શું 29 વર્ષ બાદ કોઈ મોટી ઘટનાને આપવાા હતા અંજામ?

વોન્ટેડ ચારેય આરોપીઓની અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે અબુ બકર સહિત 4 લોકો બ્લાસ્ટ પેહલા ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયા હતા.

મુંબઈ બ્લાસ્ટ કેસના દાઉદના 4 આરોપીઓ અમદાવાદમાંથી ઝડપાયા, શું 29 વર્ષ બાદ કોઈ મોટી ઘટનાને આપવાા હતા અંજામ?

મૌલિક ધામેચા / અમદાવાદ: ગુજરાત ATSને 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ફરાર 4 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. વોન્ટેડ ચારેય આરોપીઓની અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે અબુ બકર સહિત 4 લોકો બ્લાસ્ટ પેહલા ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયા હતા.

fallbacks

ગુજરાત ATSની ક્સ્ટડીમાં આવેલ આ આરોપીઓ અમદાવાદનાના સરદાર નગર વિસ્તારમાંથી બનાવટી પાસપોર્ટ સાથે પકડાયા છે. પહેલા આરોપીઓની પૂછપરછ કરતા અલગ જ ઓળખ આપતા પરંતુ વધુ પૂછપરછ કરતા સાને આવ્યું કે આ ચારેય આરોપીઓ 1993 બલાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી અબુ બકર, સયેદ કુરેશી,મોહમ્મદ સોએબ અને મોહમ્મદ યુસુફ છે. જે છેલ્લા ઘણા વર્ષોથી ફરાર હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ મિડલ ઈસ્ટ અને બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં રહેતા હતા. 

પરંતુ ATSને માહિતી મળી હતી કે 4 શંકાસ્પદ લોકો સરદારનગરમાં છે અને જેઓની તપાસ કરતા તેમની પાસેથી અલગ-અલગ નામના ફરજી પાસપોર્ટ મળી આવ્યા હતા. જે અંગે ગુજરાત ATS ખાતે એક ગુનો દાખલ કરી તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવ્યા છે.આ લોકો માંથી 3 લોકો બ્લાસ્ટ બાદ એટલે કે વર્ષ 1995 અને એક 2000 ની સાલમાં દેશ છોડીને ફરાર થઈ ગયા હતા.

વિદેશનો મોહ થયો ઓછો! ગુજરાતમાં આ પ્રવાસન સ્થળની જબરી ડિમાન્ડ: વેકેશનમાં પ્રવાસીઓ વધ્યા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1993માં મુંબઈના બ્લાસ્ટ કેસની વાત કરીએ તો આ ઘટનામાં 257 લોકોના મોત થયા હતા અને 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અને હાલમાં આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં 100 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હાલ પકડાયેલ ચારેય આરોપીઓ 8 દિવસના પોલીસ રિમાન્ડમાં છે. આરોપીઓની ATS એ વધુ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વર્ષ 1993 બ્લાસ્ટ પેહલા પકડાયેલ આરોપીઓ મોહમંદ ડોસાના ગ્રુપ માટે કામ કરતા હતા. અને બ્લાસ્ટ પહેલા આ લોકો પાકિસ્તાન ખોટી રીતે જઈ ત્યાં દાઉદ ઇબ્રાહીમ અને ISI સાથે એક મિટિંગ કરી હતી અને જેમાં તેમને મિડલ ઈસ્ટમાં મિટિંગ બાદ તે લોકો હથિયાર ચલાવવાનું અને વિસ્ફોટકની ટ્રેનિંગ લઈ પરત ભારત આવી ને બ્લાસ્ટમાં સામેલ હતા.

જ્ઞાનવાપી વિવાદ મુદ્દે મોરારીબાપુનું નિવેદન; 'કોર્ટમાં સત્ય ચોક્કસ બહાર આવશે, ઇતિહાસ કોઈ બદલી ન શકે'

મહત્વનું છે કે મોહમ્મદ ડોસા સ્મગ્લિંગના ધંધામાં હતો અને જેથી તેના સંબંધ દાઉદ સાથે સારા હતા. આરોપી અબુ બકર બ્લાસ્ટ બાદ હથિયારોને સગે વગે પણ કરી દીધેલ અને ત્યાર બાદ ખોટા પાસપોર્ટના આધારે આ લોકો ભારત છોડી ને ફરાર થઈ ગયા હતા. હાલ તો ચારેય આરોપીઓની ધરપકડ બાદ મોટી સફળતા ATSને મળી તેમ માની શકાય પરંતુ સવાલ છે કે 29 વર્ષ બાદ આરોપીઓ ભારત પરત કેમ આવ્યા હશે?

આમને આમ ચાલ્યું તો ગુજરાત બરબાદ થઈ જશે! રાજસ્થાનમાંથી મળેલ 13 કિલો RDX કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા

માનવામાં આવી રહ્યું છે કે હાલ પણ દાઉદ ઇબ્રાહિમના સંપર્કમાં હોઈ શકે છે. ત્યારે અન્ય કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ? અને પાસપોર્ટ માટે નકલી દસ્તાવેજો ક્યાં બનાવ્યા હતા તે અંગે હાલ તો ગુજરાત ATSની ટીમ તપાસ કરી રહી છે. પરંતુ મુંબઈ CBI થોડા દિવસમાં આ આરોપીઓનો કબ્જો મેળવી વધુ કાર્યવાહી શરૂ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More