Gujarat Cabinet Reshuffle : ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચા ઉઠી રહી છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસથી પણ આ ચર્ચા ઉપડી હતી. પરંતું હવે મંત્રીમંડળના વિસ્તરણની વાતો હકીકત બને તેવા અપડેટ ગાંધીનગરથી આવ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થાય એટલે ચૈત્ર નવરાત્રિના કોઈ સારાં દિવસે નવા મંત્રીઓના નામ જાહેર કરાશે.
ગુજરાત વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલના પહેલા જ અઠવાડિયામાં રાજ્ય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની વાતોએ જોર પકડયું છે. ગુજરાત વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલના પહેલા જ અઠવાડિયામાં રાજ્ય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની વાતોએ જોર પક્ડયું છે. હાલ 8 જેટલા ધારાસભ્યોને મંત્રીપદ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.
જોકે, સવાલ એ છે કે, હાલના મંત્રીઓમાંથી કોનું પત્તુ કપાશે કે નહિ તે હજી માલૂમ પડ્યું નથી. પરંતું ચર્ચા છે કે, વય અને વિવાદને પગલે કેટલાક મંત્રીઓને બાદબાકી થઈ શકે છે. આમ તો મંત્રીમંડળમાં પોતાના મંત્રી બનતા જોવા અનેક ધારાસભ્યોના ખ્વાબ છે. પોતાના નામમાં મંત્રીપદ જોડાય તેવા અનેકનો આરતા છે. તેથી અનેકો નેતાઓના નામ ચર્ચામાં છે.
182 ધારાસભ્યોમાં હું એકમાત્ર મુસ્લિમ છું... ગુજરાતના એક ધારાસભ્યને વિધાનસભામાં આવું
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો કેટલો ચાન્સ?
કોો હાલના મંત્રીમંડળમાં બેઠેલા 4 પૂર્વ કોંગ્રેસી મંત્રીઓમાંથી 2નું પત્તુ કાપીને ડૉ. સી જે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, . ગુજરાત સરકારમાં હાલ મુખ્ય મંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રીઓ છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. પરંતુ હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય રાજ્ય સરકાર મંત્રી મંડળ વિસ્તરણ કરી શકતી નથી. પરંતુ 27 તારીખ બાદ અને 7 એપ્રિલની આસપાસ આ મંત્રી મંડળ વિસ્તરણ થાય એની માહિતી ભાજપના આંતરિક સૂત્રો દ્વારા વહેતી થઈ છે.
ગુજરાતમાં આંદોલન કરવાનો હક નહિ! સરકારે વિરોધ કરતા 1100 આરોગ્ય કર્મીને ટર્મિનેટ કર્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે