ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા જ કોંગ્રેસ તૂટી છે. સડસડાટ આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસ (Gujarat congress) ના ધારાસભ્યો એકબીજાને શંકાની નજરેથી જોવા લાગ્યા છે. હવે કોણ ફૂટશે તેવી અંદરખાને કાનાફૂસી થઈ ગઈ છે. કોંગ્રેસ તૂટવાની વાત કરીએ તો, ગુજરાતમાં 2017ની ચૂંટણી બાદ અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. લિસ્ટ ગણીએ તો લાંબુલચક છે, જે બતાવે છે કે કોંગ્રેસનું મોવડી મંડળ પોતાના ધારાસભ્યોને સાચવવામાં અસફળ રહ્યું છે. જેનો લાભ ભાજપ લઈ જાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આંતરિક વિખવાદને કારણે જ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતુ ગયું અને 65ના સંખ્યાબળ પર આવીને ઉભું રહી ગયું છે.
2017 વિધાનસભા ચૂંટણી પછી રાજીનામા આપનાર કોંગ્રેસના ધારાસભ્યો
કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠક પર યોજાયેલ પેટાચુંટણી અને તેના પરિમાણ
આ સિવાય ભાજપાના ત્રણ ધારાસભ્ય અને એક અપક્ષના ધારાસભ્ય લોકસભાની ચુટંણી લડતાં તે બેઠકો ખાલી પડી હતી. તે ચાર બેઠકોનું પરિણામ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે