ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. પહેલા ચરણમાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. આજે 11 નવેમ્બર થઈ ગઈ છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 95 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે પ્રથમ તબક્કાની 20 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો હજી જાહેર કર્યા નથી. આ 20 બેઠકો પર ઉમેદવારોના નામોનું કોકડું ગૂંચવાયું છે. ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીએ 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આમ હવે કોંગ્રેસે કુલ 96 ઉમેદવારો જાહેર કર્યા છે. 20 બેઠકોને લઈ કોંગ્રેસ અસમંજસની સ્થિતિમાં છે.
કઈ કઈ બેઠકો પર કોકડું ગૂંચવાયું
અશોક ગેહલોત મારશે ફાઈનલ મહોર
ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આજથી ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેઓ પ્રથમ તબક્કાની બાકી રહેલ ઉમેદવારો અંગે ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેશે. પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે તેઓ બેઠક કરશે. જેના બાદ અશોક ગેહલોત આવતીકાલે જાહેર કોંગ્રેસનો મેનિફેસ્ટો પણ જાહેર કરશે.
આ વચ્ચે કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વેર અશોક ગહેલોત આજે ગુજરાત પહોંચ્યા છે. તેમણે એરપોર્ટ પર નિવેદન આપ્યું કે, હિમાચલમાં પણ એક તરફી ઇલેક્શન દેખાઈ રહ્યું છે. વર્તમાન સરકારનું કુશાસન, ચહેરો, ચાલ લોકો સમજી ચૂક્યા છે. આ સવાલ વારંવાર શા માટે પૂછવામાં આવે છે મને સમજાતું નથી, આ અમારી પાર્ટીનો અંદરનો મામલો છે. દેશની બહાર પણ મેસેજ છે કે દેશમાં તણાવ છે અને હિંસા છે. પરિવર્તન યાત્રાનો મેસેજ ગુજરાતના ઘરે ઘરે પોહચ્યો છે. અમે વિપક્ષની ભૂમિકા અદા કરી રહ્યાં છે. આવતીકાલે કોંગ્રેસ ઘોષણાપત્ર જાહેર કરશે. રાહુલ ગાંધી દેશમાં લોકોને જોડવા માટેનું કામ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે