અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1033 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 45540 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 700.61 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13,58,364 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1029 તથા અન્ય રાજ્યના 04 એમ કુલ 1083 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે.
અમદાવાદ: ગુજરાતી ફિલ્મોને અપાતી સબસીડીમાં પણ કૌભાંડ, હાઇકોર્ટમાં પિટિશન
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,02,132 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,01,380 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 779 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
ગાંધીનગર: ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને છ મહિનાનું એક્સટેન્સન
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14435 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 69 છે. જ્યારે 14366 લોકો સ્ટેબલ છે. 62579 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2802 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, મોરબીમાં 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1 અને ગીર સોમનાથનાં એક સહિત કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે