અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1078 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1311 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 30985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 476.69 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1311 દર્દી નોંધાયા છે.
અમરેલી: મહુવા રેન્જમાં દીપડાનો મહિલા પર હુમલો, ચહેરા પર પંજા મારતા લોહીલુહાણ
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,88,222 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,86,610 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1612 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
અમરેલી: મહુવા રેન્જમાં દીપડાનો મહિલા પર હુમલો, ચહેરા પર પંજા મારતા લોહીલુહાણ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14272 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 73 છે. જ્યારે 14199 લોકો સ્ટેબલ છે. 54138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2654 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 25 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 5, સુરત 4, કચ્છ 2, વડોદરા કોર્પોરેશન 2, જુનાગઢ 1, મહેસાણા 1, વડોદરા 1 અને અન્ય રાજ્ય 1 થઇને કુલ 25 લોકોના મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે