અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1118 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1140 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 41647 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 640.72 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,58,881 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1140 દર્દી નોંધાયા છે.
શું પીડિતોને મળશે ન્યાય? શ્રેય હોસ્પિટલ આગકાંડની તપાસ A ડિવિઝનના એસીપી મુકેશ પટેલ કરશે
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,94,169 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,92,575 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1594 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
સંતાનો સાચવવા તૈયાર ન થતાં સુરતમાં આ વૃદ્ધ બન્યા નોંધારા
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14125 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 14046 લોકો સ્ટેબલ છે. 55416 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2697 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 23 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 4, પાટણના 2, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 1, વલસાડનાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 23 લોકોના મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે