Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: 1207 નવા દર્દી, 3018 સાજા થયા, 12 લોકોનાં મોત નિપજ્યાં

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં રસીકરણ પણ ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 1,75,359 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ વધીને 95.78 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 1207 કેસ નોંધાયા છે. જ્યારે 3018 દર્દી આજના દિવસમાં સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

GUJARAT CORONA UPDATE: 1207 નવા દર્દી, 3018 સાજા થયા, 12 લોકોનાં મોત નિપજ્યાં

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં રસીકરણ પણ ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 1,75,359 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ વધીને 95.78 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 1207 કેસ નોંધાયા છે. જ્યારે 3018 દર્દી આજના દિવસમાં સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

fallbacks

જો રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો 24,404 કોરોનાનાં કેસ છે. 429 લોકો વેન્ટિલેટર પર છે. 23975 લોકો સ્ટેબલ છે. 7,78,976 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. આજે કોરોનાને કારણે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ  9890 લોકોનાં મોત નિપજ્યાં છે. 

જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More