અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1330 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1276 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,690 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1118.30 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28,53,371 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 13330 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1276 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 86,034 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.42% ટકા છે.
સુરત: ગેસ ગળતરના કારણે મજૂરનું મોત, સેફ્ટી વિના ગટરમાં ઉતર્યા હતા
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,80,437 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,79,902 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 535 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.
શું પોલીસ આટલું સારું કામ પણ કરી શકે ખરી? આ પોલીસ સ્ટેશન જોઇ તૂટી જશે તમારો ભ્રમ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16514 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 89 છે. જ્યારે 16425 લોકો સ્ટેબલ છે. 86034 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3123 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 15 લોકોનો સમાવેશ થાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે