Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: નવા 1335 દર્દી, 1212 દર્દી સાજા થયા, 14 લોકોનાં મોત નિપજ્યાં

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1335 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1212 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,561 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1116.32 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,80,681 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1335 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1212 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 84,758 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.23% ટકા છે.

Gujarat Corona Update: નવા 1335 દર્દી, 1212 દર્દી સાજા થયા, 14 લોકોનાં મોત નિપજ્યાં

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1335 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1212 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,561 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1116.32 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,80,681 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1335 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1212 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 84,758 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.23% ટકા છે.

fallbacks

જો તમારા ઘરે ગેસ સિલિન્ડર આવતું હોય તો આ સમાચાર ખાસ વાંચજો, તમારા ખીસ્સામાંથી દર મહિને જાય છે આટલા રૂપિયા

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 7,35,952 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,33,790 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 2162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.

બનાસકાંઠાની ઐતિહાસિક ધરોહરમાં ઠલવાય છે ગટરનું પાણી, પાલિકા તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16475 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 16383 લોકો સ્ટેબલ છે. 84758 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3108 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, ગાંધીનગર 1, ગીરસોમનાથ 1, કચ્છ 1, મોરબી 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1નો સમાવેશ થાય છે. આ પ્રકારે આજે કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More