Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: નવા 1344 દર્દી, 1240 દર્દી સાજા થયા, 16 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1344 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1240 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 71,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1102.58 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 31,45,202 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1344 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1240 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 91,470 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.43% ટકા છે.

Gujarat Corona Update: નવા 1344 દર્દી, 1240 દર્દી સાજા થયા, 16 લોકોનાં મોત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1344 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1240 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 71,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1102.58 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 31,45,202 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1344 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1240 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 91,470 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.43% ટકા છે.

fallbacks

28 સપ્ટેમ્બરથી ધોરણ 12ની પૂરક પરીક્ષા શરૂ, 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ આપી શકશે પરીક્ષા

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 7,41,223 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,40,713 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 460 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.

અમદાવાદ: પોલીસે એક પેસેન્જર રીક્ષા રોકી અને ચેક કરી તો આશ્ચર્યચકિત રહી ગઇ

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16318 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 94 છે. જ્યારે 16224 લોકો સ્ટેબલ છે. 91470 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3183 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર 2, સુરત 2, બનાસકાંઠા 1, ગાંધીનગર1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા અને વડોદરા કોર્પોરેશનનાં 1-1 સહિત કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More