અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1379 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1652 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 99,808 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 85620 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1317.23 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36,09,273 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1379 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1652 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 99,808 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 83.81% ટકા છે.
ખાનગી કેબ બુક કરાવી ડ્રાઇવરને ઢોર માર મારી લૂંટ ચલાવનારા 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યાં
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,05,342 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,04,835 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 507 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.
ડ્રગ ડીલર અસ્ફાક બાવાની ધરપકડ, સુશાંતના ડ્રગ કનેક્શન અંગે NCB કરી શકે છે પુછપરછ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16007 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 96 છે. જ્યારે 15911 લોકો સ્ટેબલ છે. 99808 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3273 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, દેવભૂમિ દ્વારકા 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે