Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: 1404 નવા કેસ નોંધાયા, 12નાં મોત, 1336 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1404 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 943.32 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42,92,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1404 કેસ નોંધાયા છે જ્યારે 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 85.03% ટકા છે.

Gujarat Corona Update: 1404 નવા કેસ નોંધાયા, 12નાં મોત, 1336 દર્દીઓ સાજા થયા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1404 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 943.32 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42,92,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1404 કેસ નોંધાયા છે જ્યારે 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 85.03% ટકા છે.

fallbacks

સમગ્ર દેશનું ગૌરવ પહોંચ્યું ભાવનગરના આંગણે, અનેક મંત્રીઓ સહિતના અધિકારીઓ પહોંચ્યા અલંગ

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,98,673 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,98,166 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 507 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. 

આફતને અવસરમાં બદલતા Surat ને Corona ફરીથી ફળ્યો, હીરા ઉદ્યોગની અનેક કંપનીઓ શહેરમાં આવી

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16716 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 91 છે. જ્યારે 16625 લોકો સ્ટેબલ છે. 114476 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3431 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 12 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 અને કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More