ગાંધીનગર : ગુજરાતના કોરોનાના કેસોમાં તબક્કાવાર રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના 24 નવા કેસ સામે આવ્યા છે. 18 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,666 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,15,813 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગરીબોના અનાજ પર તરાપ મારીને કરોડપતિ બનનારા કથિત માલદારોને પોલીસે ઝડપી લીધા
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 148 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટિલેટર પર છે. 143 સ્ટેબલ છે. 8,15,666 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યા છે. 100082 નાગરિકોના કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. સુરત કોર્પોરેશન 8, વલસાડ કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, નવસારી કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે.
MORBI: ધોળા દિવસે લૂંટારૂએ કર્યો લૂંટનો પ્રયાસ, નાણા બચાવવા માટે વ્યક્તિએ ખેલ્યો જીવ સટોસટનો ખેલ
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 25 વર્કરને પ્રથમ અને 2040 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 41794 નાગરિકોને રસીનો પ્રથમ અને 44174 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 114838 નાગરિકોને રસીનો પ્રથમ અને 112941 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 3,15,813 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 6,03,36,757 કુલ ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે