Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: નવા 275 કેસ, 430 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 275 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 430 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,489 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1268 કેન્દ્રો પર 33,642 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,53,161 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

Gujarat Corona Update: નવા 275 કેસ, 430 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 275 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 430 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,489 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1268 કેન્દ્રો પર 33,642 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,53,161 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

fallbacks

SURAT: BJP ના 119 માંથી 56 ઉમેદવાર નવા નિશાળીયા, સ્થાનિક સ્તરે ખુબ જ અસંતોષ

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.26 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

Ahmedabad: BJP દ્વારા 48 વોર્ડ માટે 192 ઉમેદવારોની યાદી જાહેર, જાણો તમારા વોર્ડના ઉમેદવારનું નામ?

જો કે બીજી તરફ રાજ્યમાં આજે અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભુમિ દ્વારકા, નવસારી, પોરબંદર, તાપી અને વલસાડ એમ કુલ 9 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2,800 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 27 છે. જ્યારે 2,773 લોકો સ્ટેબલ છે. 2,55,489 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4392 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More