Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: નવા 285 કેસ, 302 દર્દી રિકવર થયા, 13 જિલ્લામાં એક પણ કેસ નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 285 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 302 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,58,270 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 902 કેન્દ્રો પર 27,657 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 7,41,788 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

Gujarat Corona Update: નવા 285 કેસ, 302 દર્દી રિકવર થયા, 13 જિલ્લામાં એક પણ કેસ નહી

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 285 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 302 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,58,270 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 902 કેન્દ્રો પર 27,657 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 7,41,788 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

fallbacks

સુરતમાં ખાનગી શાળાના શિક્ષકોએ વાલીના ડેટાનો BJP ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ કરતા હોબાળો

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.66 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 1.34 કરોડની રોકડ સાથે યુવક ઝડપાતા ચકચાર

જો કે બીજી તરફ રાજ્યમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ એમ કુલ એમ કુલ 13 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,781 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 30 છે. જ્યારે 1,751 લોકો સ્ટેબલ છે. 2,58,270 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4399 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ કોર્પોરેશન જિલ્લાનાં 2 દર્દીના મોત નિપજ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More