Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: નવા 285 કેસ 442 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 285 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 442 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,54,109 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Gujarat Corona Update: નવા 285 કેસ 442 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 285 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 442 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,54,109 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

fallbacks

RR સેલમાંથી સરકાર માંડ છુટી ત્યાં CID ના તોડ સેલનો સપાટો, વેપારીઓ ત્રાહીમામ

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.10 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

લિફ્ટનાં બહાને વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ કરનારને કોર્ટે એવી સજા ફટકારી કે...

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3,203 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 29 છે. જ્યારે 3,174 લોકો સ્ટેબલ છે. 2,54,531 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4389 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. જો રસીકરણની વાત કરીએ તો રાજ્યભરમાં કુલ 684 કેન્દ્રો પર 40,550 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 3,92,454 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More