Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: 427 નવા કેસ, 360 દર્દી સાજા થયા, 6 જિલ્લાઓમાં એક પણ કેસ નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થવા લાગ્યા હતા. 

Gujarat Corona Update: 427 નવા કેસ, 360 દર્દી સાજા થયા, 6 જિલ્લાઓમાં એક પણ કેસ નહી

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થવા લાગ્યા હતા. 

fallbacks

સેંકડો વર્ષોથી આવતી પરંપરાનો થશે ભંગ, ચાલુ વર્ષે મહાશિવરાત્રીનો મેળો નહી યોજાય

આજે રાજ્યમાં નવા 427 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 360 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.47 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

પહેલાથી નિશ્ચિત હતો CM રૂપાણીનો રસીકરણ કાર્યક્રમ, પણ શા માટે થયો રદ્દ જાણો !

રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો આજથી પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત 60 વર્ષથી વધારે વય ધરાવતા વ્યક્તિઓ અને 45થી 60 ની વય ધરાવતા અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું હતું. 60 વર્ષથી વધારે વય હોય અને 45થી 60 વર્ષના અતિગંભીર બિમારી ધરાવતા કુલ 61254 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં 8,83,601 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 1,89,624 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. જો કે હજી સુધી કોઇ પણ વ્યક્તિમાં રસીની આડઅસર જોવા મળી નથી.

લવ જેહાદનો કાયદો આવે ત્યારે આવે, વડોદરામાં વધુ એક ચોંકાવનારા કિસ્સાથી હિન્દુઓમાં ફફડાટ

બીજી તરફ રાજ્યમાં બોટાદ, જામનગર, નવસારી, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ 06 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં 2,63,476 દર્દીઓએ કોરોનાને મહ્તામ આપી છે.  જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2429 એક્ટિવ કેસ છે. જે પૈકી 35 વેન્ટિલેટર પર છે. 2394 નાગરિકો સ્ટેબલ છે. 2,63,475 ને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4410 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More