Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: નવા 451 કેસ, 700 રિકવર થયા, 2 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 451 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 700 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,48,650 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Gujarat Corona Update: નવા 451 કેસ, 700 રિકવર થયા, 2 લોકોનાં મોત

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 451 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 700 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,48,650 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

fallbacks

Gujarat Corona Update: નવા 451 કેસ, 700 રિકવર થયા, 2 લોકોનાં મોત

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 96.28 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

ઓઈલચોરી કેસના માસ્ટર માઈન્ડને ATS એ ઝડપ્યો, દેશનાં અનેક રાજ્યોમાંથી કરતો હતો ઓઇલની ચોરી

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5,240 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 51 છે. જ્યારે 5,189 લોકો સ્ટેબલ છે. 2,48,650 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4374 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 02 વ્યક્તિના મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 01 અને ડાંગના 01 વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. આ પ્રકારે ગુજરાતમાં કુલ 02 લોકોનાં જ મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More