ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 668 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,22,381 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જો કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 44,053 નાગરિકોને રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા હતા.
યુવતી પહેલા ત્રણ અલગ અલગ યુવકનાં પ્રેમમાં પડી, ત્રણેય યુવકોને ખબર પડતા ત્રણેયે સાથે મળીને...
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 4046 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિક વેન્ટીલેટર પર છે. જ્યારે 4041 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,22,381 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10948 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જો કે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
વડોદરા ટ્રક ડ્રાઇવર પર ચોરીનો આરોપ લગાવીને હત્યા, ઘટનાથી ચકચાર મચી
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 577 નાગરિકોને રસીનો પ્રથમ અને 6145 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 976 ને રસીનો પ્રથમ અને 2146 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 27271 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 3946 ને રસીનો પ્રથમ અને 2992 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 44,053 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,18,83,207 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે