ગાંધીનગર : રાજ્યમાં કોરોના નવા માત્ર 96 કેસ આવ્યા હતા. તો બીજી તરપ 237 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કોરોનાને 12,11,087 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.02 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 99.23 ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
યુક્રેન સંકટ બાદ મેડિકલની ઓછી સીટ બાબતે લોકોમાં જાગૃતિ આવતા જ નેતાઓ મીઠડા થવા માટે...
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1109 એક્ટિવ છે. તો બીજી તરફ 08 નાગરિકો વેન્ટીલેટર પર છે. 12,11,087 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો 10934 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધી મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે રાહતના સમાચાર કહી શકાય.
આ મામલતદારોનો નહી પરંતુ હપ્તેબાજ અધિકારીઓ અને ખનનમાફીયાઓનો વિરોધ છે: મનસુખ વસાવા
તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 8613 નાગરિકોને પ્રથમ અને 39839 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2469 ને રસીનો પ્રથમ અને 32722 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15594 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 99,237 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,32,93,021 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે