Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: નવા 988 કોરોના દર્દી, 1209 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે 61 દિવસ જેટલા લાંબા સમય બાદ સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 988 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1209 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,21,602 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Gujarat Corona Update: નવા 988 કોરોના દર્દી, 1209 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે 61 દિવસ જેટલા લાંબા સમય બાદ સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 988 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1209 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,21,602 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

fallbacks

BJP ની સત્તા જાય તેવી વિવાદિત નોટિસ, વહીવટ હાથમાં આવતા જ અધિકારીઓ તોફાને ચડ્યાં

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 93.41 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 54,587 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 839.80 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 91,62,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

બનાવટી વિઝા દ્વારા જવાનું હતું અમેરિકા, એજન્ટને ચુકવવાનાં હતા સવા કરોડ પરંતુ અચાનક...

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,05,674 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,05,558 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 116 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 11,397 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 64 છે. જ્યારે 11,333 લોકો સ્ટેબલ છે. 2,21,602 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4248 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 07 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 05, સુરત કોર્પોરેશન 01 અને બોટાદનાં 01 દર્દી સહિત કુલ 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More