ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થતા હવે કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે. સ્થાનિક તંત્રની કામગીરીમાં રહેલી કચાશ દૂર કરવા ત્રણ ડોક્ટરોની ટીમ બે દિવસ સુધી માહિતી મેળવશે અને કેટલા સુધારા કરવા તેની સુચનો આપશે. ગઈકાલે કેન્દ્ર સરકારનાં હેલ્થ વિભાગનાં ડો. અમર પાટીલ, ડો. પી.એસ. દંગવાલ અને ડો. કપૂર રાજકોટ પહોંચ્યા હતા.
રાજકોટમાં કોરોના દર્દીઓનાં મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ આવેલી કેન્દ્રીય આરોગ્યની ટીમ કોરોનાનાં વધતા કેસ, હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા, વેન્ટીલેટરની સુવિધા અને રેમડેસિવિર ઇન્જક્શન સહિતની માહિતીઓ મેળવી હતી. રાજકોટમાં કેસ વધ્યા છે તેની પાછળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનની પણ આ ત્રણ તબીબોની ટીમ રૂબરૂ મુલાકાત કરી હતી. ડો. અમર પાટીલે જણાવ્યું હતું કે, દેશભરમાં અને ખાસ ગુજરાતમાં ફેમિલી બન્ચિંગનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. બાળકો સહિત આખો પરિવાર સંક્રિમિત થાય છે તેવું માત્ર રાજકોટ-સૌરાષ્ટ્રમાં નથી. પરંતુ આખા ભારતભરમાં આવા કેસો જોવા મળી રહ્યું છે. કોરોનાની ચેઇન તોડવી ખૂબ જ જરૂરી છે. હોસ્પિટલની સુવિધા વધવાથી કોરોના કાબૂમાં નહિ આવે પરંતુ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું ખૂબ જ જરૂરી છે.
બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ
દિલ્હીથી ડો.અમલ પાટીલ, ડો.કપૂર અને ડો. દંગવાલ રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરી હતી. તેમજ કન્ટેનમેન્ટ ઝોન, રસીકરણ કેન્દ્ર અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓએ રાજકોટની સમીક્ષા કરી હતી. સાથે જ રાજકોટમાં સતત વધતા મૃત્યુઆંક વિશે પણ વિગતો મેળવી હતી. કોરોના રોકવા અંગે માર્ગદર્શન પણ આપશે. હાલ કોરાનાને રોકવા અને ચેઇન તોડવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર મૂકવા પર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રીએ પ્રજા પાસેથી માંગી એક મદદ
કેમ તંત્ર હવે થયું દોડતું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે