Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: રાજ્યમાં કોરોના પડ્યો ઘૂંટણીયે, માત્ર 908 કેસ, 3નાં જ મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 908 નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1102 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,50,650 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 89.63 ટકા થઇ ચુક્યો છે. 

Gujarat Corona Update: રાજ્યમાં કોરોના પડ્યો ઘૂંટણીયે, માત્ર 908 કેસ, 3નાં જ મોત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 1102 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,50,650 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 89.63 ટકા થઇ ચુક્યો છે. 

fallbacks

બેકાર એન્જિનિયર ચોરીનાં રવાડે ચડ્યો, શોરૂમમાં જઇને ગાડીને સેલ માર્યો પણ ગેટ પાસે થયું એવું કે...

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51,046 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 785.32 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 57,93,788 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જામનગર : ટેકાના ભાવ કરતા વધારે કિંમત મળતા માર્કેટિંગ યાર્ડમાં કાગડા ઉડ્યા

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,24,602 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,24,385 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 217 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 89.63 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.

વડોદરા: પરેશ ધાનાણીએ લાંબુ ભાષણ આપતા લોકો કંટાળ્યા, સભામાંથી ચાલતી પકડી

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13,738 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 13677 લોકો સ્ટેબલ છે. 1,50,650 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3693 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 04 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 2, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશનના 1 સહિત કુલ 4 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More