Home> Gujarat
Advertisement
Prev
Next

બાપ રે બાપ!!! ગુજરાતમાં કોરોનાએ તો હદ વટાવી, 24 કલાકમાં અધધ... લોકો થયા સંક્રમિત, 35ના મૃત્યું

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો. 

બાપ રે બાપ!!! ગુજરાતમાં કોરોનાએ તો હદ વટાવી, 24 કલાકમાં અધધ... લોકો થયા સંક્રમિત, 35ના મૃત્યું

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ આજે તો તમામ રેકોર્ડ બ્રેક કરતાં 4021 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવી શકાતો નથી.

fallbacks

રાજકોટમાં કોરોનાની નવી પેટર્ન, "ફેમેલી બન્ચિંગ", એપ્રિલ મહિનામાં સામે આવ્યા આટલા કિસ્સા

રાજ્યમાં 4021 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2297 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો. 

મોટો નિર્ણય: હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ

અત્યાર સુધીમાં 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ રૂટની બસો થઇ બંધ

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 20,473 એક્ટિવ દર્દી છે, જે પૈકી 182 લોકો વેન્ટિલેટર પર છે અને 20,291 લોકો સ્ટેબલ છે. 3,07,346 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4655 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 35 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદ 1, રાજકોટ 1, અમરેલી 1, ભરૂચ 1, ભાનગર 1, જામનગર 1, મહેસાણા 1, વડોદરા 1 આ પ્રકારે કુલ 35 લોકોનાં મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More