Board Exam Fee Hike : મોંઘવારીનો માર ઓછો હતો, ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીનો વધારો ઝીંકવામાં આવનાર છે. ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે. ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી કે, 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ફીમાં 10 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો સાથે જ પ્રેક્ટિકલ ફીમાં પણ વધારો કરાયો છે.
કેટલો વધારો કરાયો
શુક્રવારે બોર્ડની સામાન્ય સભાનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડે સામાન્ય સભા બાદ ફી અંગેની જાહેરાત કરી છે. સામાન્ય રીતે સ્કૂલ ફીમાં 5 ટકાનો વધારો દર વર્ષે કરવાની છૂટ હોય છે. છતાં પરીક્ષા ફીમાં સીધો 10 ટકાનો વધારો કરાયો છે.
ગુજરાતમાં ડબલ ઋતુનો ડોઝ : આ તો ટ્રેલર છે, અસલી ઠંડી તો આ દિવસથી પડવાની શરૂઆત થશે
આ વધારાની સીધી અસર લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર પડશે. પરીક્ષા ફીમાં સીધો 10 ટકાનો વધારો વાલીઓના બજેટને મોટી અસર કરશે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.
સનાતન ધર્મ બચાવવા સંતોએ કમર કસી : ભગવો સસ્તો થયો છે, કોઈ પણ પહેરે છે..
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કરાયા છે. પરંતુ ધોરણ 12ની સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમા બે વિષયની પૂરક પરીક્ષાને બદલે તમામ વિષયોને 12 સાયન્સ બોર્ડની પરીક્ષા થશે. જોકે, આ બાદ બંને પરીક્ષામાંથી જે બેસ્ટ પરિણામ હશે, તેને ધ્યાનમાં લેવાશે. જ્યારે કે, ધોરણ-10 ની પૂરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામા આવ્યો છે, તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવાયું છે.
બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.
શરદ પૂનમના દૂધ પૌંઆ ચમત્કારિક ઔષધિ કહેવાય છે, કેમ તેને ખુલ્લા આકાશમાં મૂકાય છે, આવુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે