અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. હવે ગણતરીનો સમય બાકી છે અને દરેક રાજકીય પાર્ટીઓ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રચારની કમાન ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ મોદી પ્રથમ તબક્કા માટે અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. હવે રવિવારે પ્રધાનમંત્રી મોદી ત્રણ રેલીઓ સંબોધવાના છે.
રવિવારે પીએમ મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
રવિવારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રધાનમંત્રી મોદી રવિવારે કુલ ત્રણ રેલીને સંબોધિત કરવાના છે. પીએમ મોદીની પ્રથમ રેલી બપોરે 1 કલાકે નેત્રંગમાં યોજાવાની છે. ત્યારબાદ બપોરે 3.30 કલાકે પ્રધાનમંત્રી મોદી ખેડામાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે. તો સાંજે સુરતના મોટા વરાછામાં પ્રધાનમંત્રી મોદી ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી સભાની તમામ તૈયારીઓ ભાજપે પૂર્ણ કરી લીધી છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં બોલ્યા કેજરીવાલ, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ
આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે જંગ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ચૂંટણીમાં મુખ્ય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી સમીકરણ રસપ્રદ બની ગયા છે. તમામ પાર્ટીઓ પોતાના જીતના દાવા સાથે ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 સીટો અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 સીટો પર મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે.
ભાજપે બહાર પાડ્યું સંકલ્પ પત્ર
ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કાના મતદાનના ચાર દિવસ પહેલા પોતાનું સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે. જેમાં આગામી પાંચ વર્ષ માટે ભાજપે અનેક વચનો આપ્યા છે. ભાજપે બેરોજગારો, શિક્ષણ, આરોગ્ય સહિત અનેક વિષયો પર વચનો આપ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે