ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનને પગલે ગુજરાત સરકારે મજૂરો માટેના કાયદામાં સુધારો કર્યો છે. રાજ્ય સરકારે ઔદ્યોગિક એકમો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે વટહુકમથી મજૂર કાયદામાં સુધારો કર્યો છે. નવા એકમો માટે નિયમો હળવા કરાયાં છે. જોકે, નવી કંપનીઓને લેબર લોના બધા કાયદામાંથી છૂટછાટ આપવામાં આવશે. પરંતુ મજૂરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતો પર છૂટ નહિ અપાય. મિનીમમ લઘુત્તમ વેતન ધારો, સેફટીની નિયમોમાં કોઈ મુક્તિ નહિ મળે. તેમજ મજૂરને કોઈ અકસ્માત થાય તો વળતર પૂરેપુરુ આપવુ પડશે. આ સિવાય કોઈપણ ફેક્ટરીને મજૂર કાયદા મુજબ કોઈ નિયમ લાગુ નહિ પડે. ઓનલાઈન એપ્લાય કરશે તો ઝડપથી મંજૂરી આપીશું. જૂની તમામ ફેક્ટરીઓમાં મજૂર કાયદો લાગુ પડશે. નવી સરકારે કાયદાને ઓર્ડિનન્સ બનાવવાનો નિર્ણય કરાયો છે. જોકે જૂની કંપનીઓને આ લાભ નહિ મળ તેવી ખાસ સ્પષ્ટતા તેઓએ કરી છે. સલામતીના નિયમોમાં કોઈ મુક્તિ નહિ મળે. કોઈ પણ ફેક્ટરીને મજૂર કાયદો લાગુ નહિ પડે.
તો બીજી તરફ, ચીનમાં વાયરસના ફેલાવા બાદ વિશ્વની અનેક નામાંકિત કંપનીઓ ચીન છોડવા માંગે છે. ત્યારે ચીનથી આવનારી કંપનીઓને આકર્ષવાની તૈયારી ગુજરાત સરકારે કરી લીધી છે. આ મામલે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો કે, અમેરિકા, જાપાન, કોરિયા સહિતના દેશોની કંપની ચીન છોડી રહી છે ત્યારે આ તમામ કંપનીને ગુજરાત આવવાનુ આમંત્રણ આપી રહ્યા છીએ. ગુજરાત આવવા માંગતી કંપનીઓ માટે સાણંદ, દહેજ, GIDC માં 33 હજાર હેક્ટરથી વધુ જમીનની જોગવાઈ કરી છે.
તેઓએ જણાવ્યું કે, ધોલેરામાં ઈન્ફ્રા વિકસે તેવુ પ્લાનિંગ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે ભારત સરકારના ઉદ્યોગ વિભાગ, વિદેશ વિભાગ બધાનો સંપર્ક કરીને બધી કંપનીઓ સાથે ડાયરેક્ટર સંપર્ક કરીને ગુજરાત આવવાનું આમંત્રણ આપી રહ્યાં છે. વધુ લોકોને રોજી મળે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. અલગ અધિકારીઓને આ માટે જવાબદારી સોંપાઈ છે. નોડલ અધિકારી પણ નિમાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે