Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર એક સભ્યથી ચાલતા OBC કમિશનની કામગીરી સામે હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ, ગુજરાત સરકારને ખખડાવી!

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. માત્ર 1 સભ્ય પર ચાલતા કમિશન મામલામાં ખુલાસો ગયો છે. સરકાર કમિશન પાછળ કેટલું ખર્ચ કરે છે તે મહત્વનું નથી, કમિશન કઈ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. આ કમિશન માત્ર ફરિયાદો સ્વીકારવા માટે જ બન્યું નથી.

માત્ર એક સભ્યથી ચાલતા OBC કમિશનની કામગીરી સામે હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ, ગુજરાત સરકારને ખખડાવી!

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કાયમી OBC કમિશન નહી હોવાનો વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. માત્ર 1 સભ્ય પર ચાલતા કમિશન મામલામાં ખુલાસો ગયો છે. સરકાર કમિશન પાછળ કેટલું ખર્ચ કરે છે તે મહત્વનું નથી, કમિશન કઈ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. આ કમિશન માત્ર ફરિયાદો સ્વીકારવા માટે જ બન્યું નથી, સરકારી વ્યવસ્થામાં હાલ કમિશન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે સરકાર કમિશન પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી.

fallbacks

ગુજરાત આવી રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક બિમાર પડ્યા મુસાફરો, ઝાડા ઉલટી થતાં દોડધામ

કમિશન કઇ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. આ કમિશન માત્ર ફરીયાદો સ્વીકારવા માટે જ બન્યું નથી. સરકારી વ્યવસ્થામાં હાલ કમિશન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે. આર્થિક પછાત વર્ગો બાબતની ચકાસણી, સમાવેશ કે દૂર કરવા અંગેની કામગીરી નહીં થઈ રહી હોવાનું કોર્ટે પ્રાથમિક અવલોકન કર્યું છે. કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. ઓબીસી જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે નહીં થયો હોવાની બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે. રાજ્ય સરકારે કરેલું સોગંદનામુ ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરતું હોવાનું પણ કોટે નોંધ્યું છે. 

ગુજરાતમાં વરસાદે ખેડૂતોનું ગણિત બગાડ્યું! મોઢે આવેલો કોળિયો છીનવ્યો, નુકસાન જોઈ જીવ

રાજ્ય સરકારે કરેલું સોગંદનામામાં ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરતું હોવાનું જણાવ્યું હતું. આ સિવાય NCBC કમિશનમાં 5 સભ્યો હોય છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1 સભ્યની રચના મામલે કોર્ટે ખુલાસો માંગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે અરજદારને પણ નિર્દેશ કર્યો છે. બંધારણીય જોગવાઈઓ અને નેશનલ કમિશનની કાર્ય વ્યવસ્થા તેમજ રાજ્યમાં હાલ ચાલતા કમિશનના મુદ્દે અરજદાર પણ સંવિધાનિક જોગવાઈઓ તેમજ હાલની પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. હવે આગામી 20 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.  

રાજુલાની રાણી ગણાતી સિંહણ ‘ક્વીન’એ નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વનવિભાગ ચોંકી ઉઠ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More