Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ અગ્નિકાંડમાં કેટલા થયા મોત, સરકારે જાહેર કર્યો મોતનો આંકડો

Rajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના 28માંથી 27 મૃતદેહો ઓળખાયા..એક મૃતદેહની ઓળખ સ્થાપિત કરવાની બાકી...સળગી ગયેલા મૃતદેહો ઓળખવા કરાયો હતો DNA ટેસ્ટ...ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ લોકોના ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ

રાજકોટ અગ્નિકાંડમાં કેટલા થયા મોત, સરકારે જાહેર કર્યો મોતનો આંકડો

rajkot gamezone fire case : રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના 28 હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ છે. આ સાથે જ રાજકોટ અગ્નિકાંડમાં સત્તાવાર રીતે 27 મોત થયા હોવાનું કન્ફર્મ થયું છે. રાજ્યના રાહત કમિશનરશ્રીએ  આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ તંત્ર દ્વારા નીચે મુજબના પગલા તાત્કાલિક લેવાયેલ છે.

fallbacks

 

મૃતકોની યાદીની ચકાસણીના અંતે આંકડો જાહેર કરાયો 
સરકાર તરફથી માહિતી અપાઈ કે, જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા, તે માટે સૌ પ્રથમ ઘટના સ્થળ પર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી. બનાવની રાત્રે જેમ જેમ મૃતદેહો રીકવર થયા, તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના ડી.એન.એ. સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના ડી.એન.એ.સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી મોડી રાત્રે પૂર્ણ કરી, એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલા હતા. ગુમ થયેલ વ્યકિત અને પરિવારજનો વિશે તેમના પરિવારના અલગ-અલગ લોકો દ્વારા એકથી વધુ સ્થળોએ માહિતી લખાવવામાં આવી હતી, તેથી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી, તેવા કિસ્સામાં નામોની ફેર-ચકાસણી કરી મૃતકોની યાદી આખરી કરવામાં આવી હતી, અને 27 મૃતદેહોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ અને તેના પરિવારજનોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ. આ તમામ સેમ્પલોની સરખામણી થઈ જતા 27 લોકોનો આ ઘટનામાં મૃત્યુ પામ્યાનું કન્ફર્મ થયેલ છે અને ૨૭ મૃતદેહોની તેના વાલી વારસોને સોંપણી થયેલ છે.

 

ગુજરાતમાં મહાતોફાન આવ્યું : કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતા જ 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો

મૃતકોની યાદી આ સાથે સામેલ છે
૧. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪)
૨. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.૨૨)
૩. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.૨૧)
૪. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.૩૦)
૫. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.૧૯)
૬. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.૨૦)
૭. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬)
૮. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.૨૪)
૯. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.૨૨)
૧૦. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.૧૯)
૧૧. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.૪૫)
૧૨. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)
૧૩. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.૪૦)
૧૪. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)
૧૫. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.૧૫)
૧૬. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.૨૦)
૧૭. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.૨૫)
૧૮. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.૨૮)
૧૯. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.૨૪)
૨૦. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.૨૨)
૨૧. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.૨૮)
૨૨. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.૨૪)
૨૩. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.૨૫)
૨૪. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.૩૦)
૨૫. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.૪૫)
૨૬. મોનુ કેશવ ગૌંડ (ઉ.૨૧)
૨૭. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉ.૨૮)
 
મૃતકો માટે ખોટી માહિતી ફેલાવાઈ હતી 
અમુક લોકો ખાનગી હોસ્પીટલો (ટ્રીનીટી હોસ્પિટલ) માં દાઝેલી હાલતમાં સારવાર લઈ રહેલ છે કે મૃત્યુ પામેલ છે, તેવી ભ્રામક માહિતી બાબતે જણાવવાનું કે, ટ્રીનીટી હોસ્પીટલ દ્વારા સોશ્યલ મીડીયામાં વિડીયો દ્વારા રદિયો આપવામાં આવેલ છે તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈ ઉપરોકત બાબત ખોટી હોવાની ખરાઈ કરવામાં આવ્યું છે. 

ભાજપના દિગ્ગજ સાંસદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતા

ત્રણ લોકોના ગુમ થયાની માહિતી ખોટી હતી 
હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતાાં આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ ૨૧૧ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. 

27 મોતનો આંકડો ફાઈનલ થયો 
તમામ 27 મૃતદેહોના સેમ્પલ લેવાયેલ ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ. ની નિમણૂંક કરવામાં આવેલ અને તેમના પરિવારનો સંપર્ક કરી, જયારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારથી અંતિમ વિધિ સુધી તમામ બાબતમાં મદદરૂપ થવા અને ત્યાર બાદ મૃતકને આપવાની થતી સી.એમ.રીલીફ ફંડ અને પી.એમ. રીલીફ ફંડની સહાયની પ્રક્રિયા પુર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એફ.એસ.એલ. ટીમ દ્વારા  મૃતદેહોના  ડી એન એ પરિવાર જનો ના ડી એન એ સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ રાત સતત કરવામાં આવી હતી. હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરીવારજનો ગુમ હોવાની ફરીયાદ પેન્ડીંગ નથી અને 27 મૃતદેહો તેમના પરીવારજનોને સોંપી દેવામાં આવેલ છે.

ઉપરકોટ કિલ્લો બન્યો સવાણી કંપનીની કમાણીનું સાધન, ગેરકાયદે ચાલતા હતા અનેક ધંધા

મદદ માટે આ હેલ્પલાઈન પર સંપર્ક કરવો 
આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિ ની ભાળ આગ દુર્ઘટના પછી મળતીના હોય અને તેમના  પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SIT ના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, રાજકોટ શહરના મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦, SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટ. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૮૦૦૦૦૪૦૦૫૦, ડીસીબી પો.સ્ટ. ના નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫, રાજકોટ તાલકા પોલીસ સ્ટશન ના નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦ તથા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ ના નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ (૧૦૦) નો સંપર્ક કરવા આથી જાહેર જનતાને અનરોધ કરવામા આવે છે.  

ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : હવામાન વિભાગે કરી ધૂળની આંધીની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More