આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે
42,441 આવાસનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે
મહાત્મા મંદિરમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ
આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે
42,441 આવાસનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે
મહાત્મા મંદિરમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ
હિતલ પારેખ, ગાંધીનગરઃ આવતીકાલે તા.12 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ખાતે પહોંચશે. જ્યાં મહત્ત્મા મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધીનગર ખાતે PM મોદીના આવતીકાલના કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. મહાત્મા મંદિરમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. કાર્યક્રમ સ્થળની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. PM મોદી આવતીકાલના પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આપણાં ત્યાં 2452 કરોડના વિકાસકાર્યોની શરૂઆત કરાવશે. આ સાથે જ પીએમ મોદી આવતીકાલે 1946 કરોડના 42,441 આવાસનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે.
આ પણ ખાસ વાંચોઃ Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન!
આ પણ ખાસ વાંચોઃ આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
આ પણ ખાસ વાંચોઃ ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી
પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ-
આ પણ ખાસ વાંચોઃ આ હોટલાઈન શું છે? પ્રધાનમંત્રી બીજા દેશના નેતાઓ સાથે કેમ આના માધ્યમથી કરે છે વાત? આ પણ ખાસ વાંચોઃ દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
આ પણ ખાસ વાંચોઃ આ ચાકૂનું નામ કઈ રીતે પડ્યું રામપુરી? જાણો 'રામપુરી' પર સરકારે કેમ લગાવ્યો પ્રતિબંધ
મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના તમામ સભ્યો હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
આ સાથે જ શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદમાં ગોતા ખાતે તેમજ અમરાઇવાડી ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વાડજ તેમજ સતાધાર જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, AMCના વિવિધ TP રોડ્સનું રિગાર્ડેશન અને રિસર્ફેસિંગ તેમજ અન્ય વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
પાણી પુરવઠા વિભાગ હેઠળ SIPU ઓગમેન્ટેશન પ્રાદેશિક પાણી પુરવઠા યોજના પેકેજ- 1, 2 અને 3નું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ચેસણ બ્યુલ પાઇપલાઇન તેમજ લાભોર અને જલુન્દ્રા જૂથ પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ પાલડી નવાપુરા સરોડા ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ હેઠળ રૂ.25 કરોડના ખર્ચે નરોડા GIDC ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવશે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે