PM Modi In Gujarat : માર્ચ મહિનામાં ગુજરાત ફરી રાજકારણનું ફોકસ બનવાનું છે. કારણ કે માર્ચ મહિનામાં ગુજરાતના રાજકારણમાં મોટી મોટી ઘટનાઓ બનવાની છે. માર્ચ મહિનામાં એક પછી એક એવું થશે કે ગુજરાતની ચર્ચા ફરી થશે. મહાકુંભ મેળો પૂરો થયો, તો હવે ગુજરાતમાં રાજકીય મેળો થવાનો છે. એક તરફ કોંગ્રેસે ગુજરાતને મહત્વ આપવાનું શરૂ કર્યુ છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનારું છે. તો માર્ચ મહિનામં પ્રધાનમંત્રી નરેુન્દ્ર મોદી બે વાર ગુજરાતની વિઝિટ કરવાના છે.
ગુજરાતમાં રાજકીય મહાકુંભ
માર્ચ મહિનો ગુજરાતમાં રાજકીય મહાકુંભ થવાનો છે. ત્યારે ગુજરાતની ભૂમિ પર ફરી એકવાર રાજકીય માહોલમાં ગરમાવો આવવાનો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં જાણે રાજકીય મેળાવડો જામવાનો હોય, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી ગુજરાતમાં ધામા નાંખશે. ત્યારે હવે જોવું રહ્યું કે, ગુજરાતની ભૂમિ પરથી હવે કેવું રણશીંગું ફૂંકાવાનું છે. બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેના લેખાજોખા ગુજરાતથી થશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ, કોંગ્રેસની રણનીતિ પણ સાવ નવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ડબલ જોશમાં હોય તેવું લાગી રહ્યું છે. હાલ પાર્ટી ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી કરી રહી છે.
પીએમ મોદીના ઉપરાઉપરી બે પ્રવાસ
હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ચ મહિનામાં પ્રથમ સપ્તાહમાં બે પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. હાલ પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તડામાર તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિનાની શરૂઆતમાં 2 માર્ચ અને 3 માર્ચ તેમજ ત્યાર બાદ 6થી 8 માર્ચ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. ગુજરાતના માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટના જૂનાગઢ જ્યારે સપ્તાહના અંતમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે.
દેવાયત ખવડ પર હુમલાની ઘટનામાં બે ફરિયાદ નોંધાઈ, બંને પક્ષે સામસામે ફરિયાદ કરાઈ
અમિત શાહ પણ માર્ચમાં ગુજરાતમાં
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. ગૃહમંત્રી અમિત શાહ આગામી 1-2 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમના આ ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમિત શાહ થોડા દિવસ પહેલા જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કર્યુ હતું.
ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
પાર્ટીએ 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનની યોજના બનાવી છે. એપ્રિલમાં આ કાર્યક્રમથી વિધાનસભા ચૂંટણીની તૈયારી ઔપચારિક રૂપથી શરૂ થઈ જશે. આશરે 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાંથી બહાર છે. તેણે અનેક વખત પ્રયાસો કર્યાં પરંતુ પાર્ટીને માત્ર નિષ્ફળતા મળી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ કોંગ્રેસ માટે નિરાશાજનક રહી હતી. હવે કોંગ્રેસ મિશન 2027 માટે અત્યારથી ચૂંટણી મોડમાં એક્ટિવ થવા ઈચ્છે છે. આ પહેલા 1961માં કોંગ્રેસનું અધિવેશન ભાવનગરમાં યોજાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાને કારણે ગુજરાતમાં દરેક ચૂંટણી મહત્વપૂર્ણ હોય છે. દેશભરમાં તેની ચર્ચા થાય છે. તેવામાં કોંગ્રેસને લાગે છે કે મનોવૈજ્ઞાનિક રીતે લીડ મેળવવી છે તો ભાજપને ગુજરાતમાં હરાવવું પડશે.
ગુજરાતના 99.43 લાખ ખેડૂતોની પાંચેય આંગળી ધીમાં! મળ્યો આ સરકારી સહાયનો ફાયદો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે