Ambalal Patel Prediction : હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યા છે. જે મુજબ, 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. આ સાથે 130 થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવા આજે રાજ્યના મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. કચ્છમાં આર્મીની 3 કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે. સાથે જ કચ્છના એરબેઝને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. મુખ્ય સચિવ કેન્દ્રીય એજન્સીઓના સતત સંપર્કમાં રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બપોરે બેઠક કરશે.
ગાંધીનગરમાં બેઠક બાદ હવામાન વિભાગના મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યું કે, 15 મી એ સાંજે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચે લેન્ડ ફોલ થશે. 130 થી 135 કિમી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડશે. 16 મી સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. સાઈકલોનની અસર આખા ગુજરાતમાં થશે. ગઈ કાલે રાત બાદ સાયકલોન વેરી સિરિયસ જોવા મળી રહ્યું છે. સાયકલોન દ્વારકાથી હાલ 290 કિમી દૂર છે. જે 15 જૂને માંડવીથી કરાંચીની વચ્ચે પસાર થશે. જખૌથી 125 થી 135 ની પ્રતિકલાકની સ્પીડે સાઈક્લોન પસાર થશે.
વાવાઝોડા વચ્ચે કોસ્ટગાર્ડ બન્યું સંકટમોચક, મધદરિયે ફસાયેલા 50 લોકોનો જીવ બચાવ્યો
વાવાઝોડાની અસર કેવી થશે તે વિશે તેઓએ કહ્યું કે, વાવાઝોડાની અસરના ભાગરૂપે પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. તેથી 16 તારીખ સુધી દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ 15 થી 17 જુન સુધી અસર રહેશે. હાલ સાયકલોન પ્રતિ કલાકે 10 ની સ્પીડે આગળ વધી રહ્યું છે. 152 થી 160 ની પવનની ઝડપ જોવા મળી રહી છે. સવારે 10 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપરજોય પોરબંદરથી થોડું દૂર થયું છે. અગાઉના 290 કિમી કરતા હાલ 300 કિમિ દૂર છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, જખૌ અને નલિયાથી અંતર ઓછું થયું છે. હાલ દ્વારકાથી 290 કિલોમીટર, જખૌથી 340 થી અને નલિયાથી 350 કિમિ દૂર છે.
વાવાઝોડાનું તાંડવ શરૂ થઈ ગયું, વેરાવળમાં વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે કુદરતી આફતની પૂર્વ તૈયારી કરી લીધી છે. વાવાઝોડાની દિશામાં 120 ગામ આવે છે. શેલ્ટર હોમ વ્યવસ્થા કરી છે. સ્થળાંતરિત કરાયેલા લોકોને ખાવા પીવા રહેવા સુવિધા કરાઈ છે. સાયકલોન ટકરાય ત્યારે જાનહાની ના થાય એવી વ્યવસ્થા હાથ ધરી છે. એક અંદાજ મુજબ, 8 હજાર લોકોનં સ્થળાંતર કરાયું છે. NGO ભાજપ પાર્ટી સહિતના લોકો સેવામાં વ્યવસ્થામાં જોડાયા છે. સામુહિક દોઢ બે લાખ પશુઓ માટે પણ સ્થળાંતર કરાશે. ગુજરાતમાં હાલ આર્મી, વાયુ સેના એલર્ટ પર છે. કોસ્ટલ બેલ્ટમાં પણ વ્યવસ્થા કરાઈ છે.
દ્વારકા મંદિરમાં વાવાઝોડાને કારણે આજે નહિ ચઢાવાય ધજા, ધજાને પ્રસાદ રૂપે ધરાવાશે
આગામી 5 દિવસ દીવ-દમણ કે દ્વારકા-સોમનાથના પ્રવાસે ન જતા, નહિ તો બરાબરના ફસાશો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે