Controversy On Jalaram Bapa : સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી એ સંત શિરોમણી જલારામ બાપા વિશે કરેલા વિવાદીત નિવેદન નો વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાના કરેલા અપમાનનો ચારેતરફ વિરોધ થઈ રહ્યો છે. લોહાણા સમાજમાં ચારેતરફ રોષ ભભૂકી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી લીધી છે, પરંતુ લોહાણા સમાજ માફ કરવાના મૂડમાં નથી. ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ અંગે ટ્વિટ કરી છે.
તાત્કાલિક વીરપુર આવી માફી માંગી જાય
વીરપુર જલારામ બાપા વિશે સ્વામીની ટિપ્પણીના મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, સ્વામીએ વીરપુર આવીને માફી માંગવી જોઈએ. સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે અસત્ય ઉચારણ કરી લોહાણા સમાજ જે નહીં જલારામ ભક્ત સર્વ સમાજની લાગણી દુભાવી છે. સ્વામી તાત્કાલિક વીરપુર આવી માફી માંગી જાય.
પરિમલ નથવાણીએ શું કહ્યું...
પરિમલ નથવાણીએ કહ્યું કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ.
ગુજરાતના આ શહેરમાં હોળીની ઉજવણી પર મૂકાયો પ્રતિબંધ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
સ્વામિનારાયણ મંદિર ધરણા કરી મંદિર બંધ કરવાની ચીમકી
સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેતપુરના લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તીનબત્તી ચોકથી શ્રી રામ અને જલારામ ધૂન બોલાવી રેલી સ્વરૂપ મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની સામે નત મસ્તક વંદન કરી માફી માંગે. 48 કલાકમાં માફી નહીં માંગે તો ગુજરાતના તમામ સ્વામિનારાયણ મંદિર ધરણા કરી મંદિર બંધ કરવાની ચીમકી લોહાણા સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સાથે જ સ્વામી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
જલારામ બાપ અંગે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા અરજી કરાઈ. જયભારત ધામેચા નામના એડવોકેટ દ્વારા શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવામાં આવી છે. ભારતીય ન્યાય સહીતાની કલમ 298, 302, 356 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા લેખિતમાં ફરિયાદ અપાઈ.
છેક રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે. વાપીના જાણીતા જલારામ મંદિરમાં જલારામ ભક્તો દ્વારા જ્ઞાનપ્રકાશ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભક્તોએ મોઢા પર કાળી પટ્ટી બાંધી અને મૌન રીતે વિરોધ કર્યો હતો. અને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જાતે જઈ જલારામ બાપાના દર્શન કરી રૂબરૂ માફી માંગે તેવી માંગ કરી હતી. જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ જલારામ ભક્તો અને ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યા છે. જોકે વાપીમાં જલારામ ભક્તોએ સંયમ દાખવી મોઢા પર કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ કરી જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જઈ જલારામ બાપા ની માફી માંગે તેવી માંગ કરી હતી.
ગાંધીના ગુજરાતમાં દારૂ રેલમછેલ કરવાની વાત કરતા પોરબંદરના વકીલે માફી માંગી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે