અમદાવાદ :રાજ્યમાં ઉતર પશ્ચિમના પવનોની દિશા યાથાવત છે અને 24 કલાક હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હિટવેવ રહેશે. પોરબંદર, કચ્છ, અમરેલી, વેરાવળ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં સૂકા અને ગરમ પવનો ફૂકાશે. છેલ્લા કેટલાક દિવસથી હિટવેવના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જોકે આવતીકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે અને હિટવેવ નહિ રહે. પરંતુ ઉનાળા ઋતુ છે એટલે તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે.
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો.મનોરમા મોહન્તીએ જણાવ્યું કે, હીટવેવની રાજ્યની જનતાને ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ આકરો બનીને લોકોના જીવનને ધમરોળશે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હીટવેવ રહેશે. તેથી લોકોએ કામ વગર બહાર જવાનું ટાળવું. તેમજ આકરા તાપથી બચીને રહેવા સતત પાણી તથા અન્ય પ્રવાહી પદાર્થો લેતા રહેવું. તેમજ તાપમાં બહાર નીકળવુ પડે, તો શરીરને યોગ્ય રીતે કપડાથી ઢાંકવુ, અને માથાને પણ ઢાંકવુ. જેથી સીધો તાપ શરીર પર ન પડે.
રાજ્યમાં ગરમીને કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાએ ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યુ. સુરતમાં તો અન્ય શહેરોમાં પણ છેલ્લા 2 દિવસમાં તાપમાન વધ્યું છે. રાજ્યમાં 29 એપ્રિલથી યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. તો આગામી સપ્તાહમાં તાપમાન 43 ડિગ્રીથી ઓછુ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ચારેતરફ પાણીના પોકાર વચ્ચે મુખ્ય ઈજનેરે ઠંડા પાણી જેવી ટાઢક વળે તેવા સમાચાર આપ્યા, જુઓ
ઈમરજન્સી સેવાઓ વધી
કાળઝાળ ગરમીની અસર 108 ઈમરજન્સી સેવા પર પડી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં 200થી વધુ ઈમરજન્સી કોલ આવી રહ્યાં છે. 108ને અત્યાર સુધી અમદાવાદમાંથી 98 કોલ મદદ માટે આવ્યા હતા. તો રાજ્યભરમાંથી અત્યાર સુધી 108ને મદદ માટે 478થી વધુ કોલ આવ્યા છે. જેમાં બેભાન થઈ જવાના 84 કેસ, ઉલ્ટીના 40, છાતીમાં દુખાવાના 68, પેટ દુખાવામાં 116, ડીહાઇડ્રેશનના 36 કેસ નોંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે