હિતલ પારેખ/ગાંધીનગર: અમદાવાદની છેડતીની ઘટના અંગે રાજ્યાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા બનાવો સંદર્ભે 15 જુનના રોજ વહેલી સવારે આ ઘટના બની હતી. એક બેન સુતી હતી ત્યારે આ ઘટના બની હતી. જેથી તેઓ ફરિયાદ આપવા તૈયાર ન હતા પણ આજે તેઓ ફરિયાદ આપવા તૈયાર થયા છે.
આ બેનની ફરિયાદ મળતાની સાથે જ ગુનો દાખલ કરીને છેડતી કરનાર નરાધમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ પાસે જે માહિતી છે એ માહિતી પ્રમાણે આ કૃત્ય કરનાર યુવાનની ધરપકડ લોકલ પોલીસ દ્વારા જ કરવામાં આવશે. સામાન્ય રીતે સીસીટીવી કેમેરાનું આયોજન કરતાં હોય છે.અને ભાડુઆત તરીકે કોઇ રહેતા હોય તો તેની જાણકારી પોલીસ સ્ટેશનમાં આપવાની જ હોય છે. આ નિયમને વધુ કડક કરવામાં આવશે
મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા
યુવતી અને સંચાલકે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. તથા ન તો આ મામલો બહાર લાવવામાં આવ્યો હતો. ગાંધીનગર મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનરને તપાસના આદેશ આપ્યા છે. મહિલા આયોગના અધ્યક્ષ લીના અંકોલિયાએ કહ્યું કે, આજે આ બનાવ અમારા ધ્યાનમાં આવ્યો છે. પીજીમાં મહિલા સંચાલકો રાખે, જેથી યુવતીઓની સુરક્ષા સચવાય. મેનેજમેન્ટ સામે પગલા લેવાય તે જોઈશું. અમે જાતે તપાસ કરીશું. દીકરીઓને મળીશું. આવી રીતે એકલી રહેતી અને હોસ્ટલમાં રહેતી યુવતીઓ સાથે તેમની તકલીફને લઈને વાત કરીશું. તેમજ આવા પીજી કેવી રીતે ચાલે છે તેની તમામ તપાસ અમે કરીશું.
જુઓ LIVE TV
અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે