Gandhinagar News: એક વર્ષમાં ઇ-મેઇલ પર કુલ-2533 પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળી છે, જેમાં ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે.
મંત્રી હર્ષ સંઘવી કાર્યાલય ખાતે પ્રત્યક્ષ રીતે પ્રત્યેક અરજદાર, ધારાસભ્યો, સાંસદો તથા પદાધિકારીઓને સાંભળતા હોય છે. પરંતુ રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે તે માટે ઈ-મેઈલ પર આવેલી ફરિયાદો અને રજૂઆતોના ત્વરિત નિરાકરણ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે.
ગુજરાતના 7 જિલ્લામાં આવશે મહાખતરો! કાળા ડિબાંગ વાદળો-વિજળીના ચમકારા લાવશે આફત
રાજ્યના નાગરિકો min-home@gujarat.gov.in ઈ-મેઈલ આઈડી પર ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પોતાના પ્રશ્નો, નિમંત્રણ તેમજ રજૂઆતો મોકલી રહ્યા છે. આ મળતા ઈ-મેઈલની મંત્રીના કાર્યાલય સ્તરેથી પ્રામાણિકતાપૂર્વક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
સૌથી મહત્વની વાત એ છે કે, મંત્રી હર્ષ સંઘવી પોતે દરરોજ મળતા ઈ-મેઈલની સમીક્ષા કરે છે અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીને તાત્કાલિક સૂચનાઓ પાઠવે છે. સાથે સાથે દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સમીક્ષા બેઠક યોજીને, રજૂઆત થયેલા મુદ્દાઓના ઉકેલ અને પ્રગતિ અંગે પણ બારીક સમીક્ષા કરવામાં આવે છે.
અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા કરી લો બાબા બર્ફાનીના દર્શન,શિવલિંગની પહેલો ફોટો
આ કાર્યવાહીથી ઈ-ગવર્નન્સને વધુ બળ મળ્યું છે અને સામાન્ય નાગરિકોને પ્રાથમિકતા આપી, સરળ અને ઝડપી વહીવટની દિશામાં આગળ વધી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે