Home> Gujarat
Advertisement
Prev
Next

વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય: ગરમીના કારણે અમદાવાદની શાળાના સમયમાં થશે ફેરફાર

અમદાવાદ શહેરમાં અતિશય ગરમી હોવાથી વાલીઓની રજૂઆતને ધ્યાને રાખી બાલવાટીકા અને ધોરણ-1થી 8ના બાળકો માટે શાળાનો સમય 12 વાગ્યા સુધી રાખવો હિતાવહ જણાય છે, તેમ DEOના પરિપત્રમાં જણાવ્યું છે.

વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય: ગરમીના કારણે અમદાવાદની શાળાના સમયમાં થશે ફેરફાર

Primary School Time: અમદાવાદ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેનો જોતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. સવાર પાળીમાં બપોરે 12 વાગ્યા સુધી જ શિક્ષણકાર્ય ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે. 

fallbacks

આંધી-ગાજવીજ-કરા-તોફાન..બધું એકસાથે! આ જિલ્લાઓમાં 3 દિવસ સુધી કયામત જેવી ભયાનક આગાહી

જી હા...અગાઉ શિક્ષણ વિભાગે સૂચના આપી હોવા છતાં અમુક સ્કૂલો દ્વારા તેનું પાલન થતું ન હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારબાદ અમદાવાદ શહેર DEOએ તમામ સ્કૂલોને પરિપત્ર કરી ગરમીના કારણે સ્કૂલનો સમય સવારનો જ રાખવા માટે તાકીદ કરી હોવાનું સામે આવ્યું છે.

આ પહાડ પર પડી હતી માતા સતીની યોનિ; દર વર્ષે આવે છે માસિક ધર્મ, 3 દિવસ લાલ થાય છે નદી 

તમામ સ્કૂલોને આદેશ આપી બાલવાટિકાથી લઈને ધોરણ-8 સુધીની સ્કૂલોમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય કરાવવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત ઉનાળા દરમિયાન સ્કૂલોમાં ઓપન એર વર્ગો ન ચલાવવા માટે પણ જણાવાયું છે. આમ, હવે વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યાં સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય 12 વાગ્યા પહેલાં પૂર્ણ કરી દેવાશે. 

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટો મોકો, ગ્રેજ્યુએટ ઉમેદવારો ફટાફટ કરો અરજી

ગરમીના કારણે તમામ છોકરા-છોકરીઓને શાળાએ આવતી વખતે તડકાનો સામનો ન કરવો પડે તે માટે શાળાનો સમય સવારે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. શાળા બંધ થવાનો સમય બપોરે 12 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલોને સૂચના અપાઈ હોવા છતાં સંપૂર્ણ પાલન થતું ન હોવાની ફરિયાદો અવાર-નવાર ઊઠ્યાં કરે છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More