જામનગર : ગુજરાતમાં ફરી એકવાર ફોલ્ટલાઇન સક્રિય થઇ ચુકી છે. કચ્છ અને જામનગર સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં તબક્કાવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. આજે ફરી એકવાર જામનગરમાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાયા હતા. 4.14 વાગ્યે 2ની તીવ્રતા અને 4.30 વાગ્યે 2.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જામનગરથી 22 અને 13 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. સવારે પણ જામનગરમાં બે આંચકાઓ અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત ભૂકંપના આંચકાઓના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પોતાની હત્યા ન થાય તે બીકે પિસ્તોલ લઈને ફરતો શખ્સ ઝડપાયો
બીજી તરફ જામનગરમાં આવેલા ભૂકંપના આંચકાઓ ખુબ જ સામાન્ય તિવ્રતાના હોવાના કારણે લોકો અનુભવી શક્યા નહોતા. પરંતુ ભૂકંપના સમાચાર વાંચ્યા બાદ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. લોકોમાં ભૂકંપના સમાચારના કારણે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકો પણ સતર્કતા વર્તી રહ્યા છે. બીજી તરફ તંત્રમાં પણ સતર્કતા જોવા મળી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે