રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની ગુરુવારે અભિજિત મુહૂર્ત (બપોરે 12.15 મિનિટે)માં તિલકવિધિ થશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ દંડી સ્વામી અને સંતો–મહંતોની ઉપસ્થિતિ રહેશે. બુધવારે મહોત્સવમાં 51 શાસ્ત્રીજીએ માંધાતાસિંહ પર જળાભિષેક કર્યો હતો તેમજ સાંજે દીપમાળા કરી રાજકોટનું રાજચિહ્ન બનાવવામાં આવ્યું હતું આ બંને પ્રસંગની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ થઇ હતી.
રાજકોટના ઠાકોર સાહેબ તરીકેની તિલકવિધિ મહોત્સવની છેલ્લા ત્રણ દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે. મંગળવારે 2126 બહેનોએ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું, બુધવારે જળાભિષેક અને દીપમાળ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતા બે દિવસમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા.
રાજકોટના રાજવી પરીવારના 17માં ઠાકોર સાહેબ તરીકે તા.30મી (વસંતપંચમી)ના દિવસે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાની તિલકવિધિ માટેનો ત્રિદિવસીય સમારોહ સોમવારથી શરૂ થઇ ગયો છે. જેમાં ધાર્મિક વિધિવિધાન અને ક્ષત્રિય પરંપરા મુજબ હોમ હવન અને કર્મકાંડ થઈ રહ્યા છે.
કાર્યક્રમની વિગતો Live
30 જાન્યુઆરીનો કાર્યક્રમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે