Air India Plane Crash Investigation: અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેન AI-171 ના 12 જૂને થયેલા અકસ્માતની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. AI-171 ક્રેશના દુર્ઘટનાની તપાસમાં પ્લેનના તકનીકી રેકોર્ડ (ટેક્નિકલ લોગ) ની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ છેલ્લા 24 કલાકના રેકોર્ડ પર કેન્દ્રીત છે, કારણ કે કાટમાળ અને ફુટેજથી સ્પષ્ટ છે કે પ્લેનમાં પાવર સપ્લાયની ગંભીર સમસ્યા હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ના વિડીયો ફૂટેજ અને નિવેદનો, જેમણે ટેકઓફ માટે લીલી ઝંડી આપી હતી અને કાટમાળની પ્રારંભિક તપાસ કરી હતી, તે દર્શાવે છે કે વિમાન ઉડાન ભર્યાના થોડીક સેકન્ડ પછી મુખ્ય પાવર સપ્લાય સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ બ્લેક બોક્સના ડેટા પરથી જ જાણી શકાશે.
શું AI171 વિમાન દુર્ઘટના ટાળી શકાય છે?
બીજી તરફ, અકસ્માત ટાળવાની શક્યતાઓ અંગે, સૂત્રો કહે છે કે વિમાન ટેકઓફ દરમિયાન હતું અને તેનું નાક ઉપરની તરફ હતું. વિમાન 3600 ફૂટની લઘુત્તમ સલામત ઊંચાઈ સુધી પહોંચી શક્યું ન હોવાથી, રેમ એર ટર્બાઇન (RAT) ની મદદથી પણ વિમાનને સુરક્ષિત રીતે પાછું લાવી શકાયું ન હતું.
આ કેસની તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનનું બ્લેક બોક્સ અને ડિજિટલ વોઇસ રેકોર્ડર (DVR) મળી આવ્યું છે, પરંતુ બંને ક્ષતિગ્રસ્ત છે. આવી સ્થિતિમાં, ડેટા કાઢવાનું થોડું મુશ્કેલ બનશે. આ સંદર્ભમાં ચર્ચા ચાલી રહી છે કે બ્લેક બોક્સને અમેરિકા મોકલવામાં આવે, જ્યાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) તેની આધુનિક ટેકનોલોજીની મદદથી રેકોર્ડિંગ કાઢવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતની આ 10 મહિલાઓ પાસે છે સૌથી વધુ સંપત્તિ, કરોડો રૂપિયાની છે માલકિન
શું કોકપિટમાં થઈ ભૂલ?
સૂત્રો અનુસાર બોઇંગ 787 ડ્રીમલાઈનરના ટાકમાળમાંથી હજુ સુધી કોકપિટમાં કોઈ ભૂલનો સંકેત મળ્યો નથી. તેમ લાગે છે કે પાયલટોએ મેનુઅલ કંટ્રોલ હાસિલ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો. આ કોકપિટની ભૂલ નથી લાગતી. પાવર ફેલ થયા બાદ પ્લેને ઊંચાઈ ખોવાનું શરૂ કરી દીધું અને તે સુરક્ષિત ઊંચાઈ સુધી ન પહોંચી શક્યું.
બોઇંગ 878મા મેનુઅલ રિવર્ઝન કંટ્રોલ સિસ્ટમ હોય છે, જે હાઇડ્રોલિક નિષ્ફળતાની સ્થિતિમાં પાયલટને મહત્વપૂર્ણ સિસ્ટમ પર કંટ્રોલ આપે છે. આ સિસ્ટમ રેમ એર ટરબાઇન (RAT) થી વીજળી પેદા કરે છે, પરંતુ પ્લેનની પાસે એટલી ઊંચાઈ નહોતી કે તે સુરક્ષિત રૂપથી નીચે ઉતરી શકે કે પાયલટ કંઈ કરી શકે. પ્લેન સીધુ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું, જેના કારણે તેની પૂંછ ટકરાઈ અને અલગ થઈ ગઈ.
જો પ્લેન 3600થી 4900 ફૂટની ઊંચાઈ પર પહોંચી ગયું હોત તો કહાની અલગ હોત, કારણ કે RAT ની મદદથી પ્લેન સુરક્ષિત મેડે લેન્ડિંગ કરી શકતું હતું. તપાસથી જાણવા મળ્યું કે AI-171 માત્ર 625 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શક્યું હતું, જ્યારે તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ જો ઈરાન સાથે વેપાર બંધ થઈ જાય તો ભારતમાં શું મોંઘુ થશે? ખેડૂતોને પણ નુકસાન થશે, જાણો
એન્જિન ફેલ થવાનું શું કારણ?
તપાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ પ્લેનના છેલ્લા 24થી 48 કલાકના ટેક્નિકલ રેકોર્ડનું વિશ્લેષણ છે. તેનાથી જાણકારી મેળવાશે કે શું પ્લેનમાં કોઈ તકનીકી ખરાબી હતી, જેનો ઉલ્લેખ છેલ્લા પાયલટો કે મેન્ટેનન્સ કર્મચારીઓએ કર્યો હોય. આ પ્લેન પેરિસથી દિલ્હી અને પછી દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું. 11-12 જૂને તેણે દિલ્હીથી પેરિસની ઉડાન ભરી હતી.
તેના એક દિવસ પહેલા તે ટોક્યોની ઉડાન પૂરી કરી દિલ્હી પરત ફર્યું હતું. અમે તકનીકી રેકોર્ડની તપાસ કરીશું કે શું પાછલા પાયલટો કે એન્જિનિયરિંગની ટીમે બંને એન્જિનના પરફોર્મંસ કે ECAM (ઈલેક્ટ્રોનિક સેન્ટ્રલાઈઝ્ડ એરક્રાફ્ટ મોનિટર) સંદેશા વિશે કોઈ ટિપ્પણી કરી હતી, જે ઉડાન દરમિયાન થ્રસ્ટ (જોર) સંબંધિત સમસ્યાને દર્શાવતું હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે