દિવ્યેશ જોશી/રાજકોટ: તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના વિઝા કઢાવવા સહેલા છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાંથી જન્મ-મરણના દાખલા કે આધાર કાર્ડ કઢાવવું ખૂબ જ કઠિન છે... આધાર કાર્ડ કે જન્મ મરણના દાખલા કઢાવવા માટે લોકોને ત્રણ થી ચાર ધક્કા ખાવા પડે છે.
શું તમે લોન ચૂકવવામાં અસમર્થ છો? જાણો તમારા 5 અધિકારો અને મુશ્કેલીઓથી બચવાની રીતો
આધાર કાર્ડએ દરેક ભારતીયની ઓળખ છે. ત્યારે આધાર કાર્ડ કઢાવવા તેમજ જન્મ મરણ ના દાખલા કઢાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની જે કચેરી છે તેમાં લોકોની વહેલી સવારથી જ લાઈન લાગી જાય છે. અગાઉ અનેક વખત આધાર કાર્ડ અને જન્મ મરણના દાખલા કઢાવવા માટેનું સ્ટાફમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી એક પણ પ્રકારના સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
ભાજપમાં મોટા ફેરફાર: પ્રદેશ મહામંત્રીની હકાલપટ્ટી, 3 જિલ્લાના પ્રમુખો બદલી દેવાયા
રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આધાર કાર્ડ કે જન્મ-મરણ દાખલ કઢાવવા માટે લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે મહિલાઓ પોતાના નાના બાળકો પાડોશીને ત્યાં મૂકીને આવે છે તો કેટલાક પુરુષો પોતાનો કામ ધંધામાં રજા પાડી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે પરંતુ આધાર કાર્ડ કે જન્મમરણ ના દાખલા માં એક થકે કામ પૂર્ણ થતું નથી. દરેક લોકોને ઓછામાં ઓછા બે થી વધુમાં વધુ ચાર ધક્કા રાજકોટ મહાનગરપાલિકાના ખાવા પડે છે ત્યારે જ તેનું આધાર કાર્ડ કે જન્મ મરણના દાખલા નીકળે છે.
ડરાવી રહ્યો છે કોરોના! અમદાવાદમાં કેસ વધતા તંત્રમાં ચિંતામાં! જાણો આજના નવા કેસ
રાજકોટ મહાનગરપાલિકાની જન્મ મરણ કે આધાર કાર્ડ કઢાવવા માટેની જે કચેરી છે ત્યાં લોકોની ખૂબ જ મોટી ભીડ હોય છે ત્યારે આવા તડકામાં લોકો કચેરીની બહાર લાઈનમાં ઊભા રહી તડકાના ગરમીથી શેકાતા હોય છે. કચેરીની બહાર જે ભીડ જામે છે તેને બેસવા માટેની મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. આધાર કાર્ડની કામગીરીમાં હાલ માટે હાલમાં પાંચ ટેબલ મૂકવામાં આવ્યા છે પરંતુ પાંચમાંથી બે ટેબલ ઉપર તો ઓપરેટર હોતા જ નથી પરિણામે લોકોની ભીડ જમા થતી હોય છે.
સુરતની લાજપોર જેલમાં આરોપીનો આપઘાત, પરિવારે લગાવ્યો એવો ગંભીર આરોપ કે મચ્યો 'હાહાકાર
જેથી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની જે છેલ્લી દરખાસ્ત મળી હતી તેમાં આધાર કાર્ડ તેમ જ જન્મ મરણના દાખલામાં ઓપરેટર તેમજ આધાર કાર્ડ માટેની કીટની સંખ્યા વધારી લોકોની ભીડ ઓછી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ લાખો રૂપિયાની દરખાસ્ત મંજુર થઈ હોવા છતાં પણ લોકોને જે હાલાકી ભોગવી પડે છે તે હજુ પણ યથાવત જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે