Home> Gujarat
Advertisement
Prev
Next

જગદીશ ભાવસારને ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર બનાવાયા


ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર હિમાંશુ પંડ્યાનો કાર્યકાળ આજે પૂરો થયો છે. 
 

જગદીશ ભાવસારને ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર બનાવાયા

અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે ચાર્જ સંભાળી રહેલા હિમાંશુ પંડ્યાનો 3 વર્ષનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર જગદીશ ભાવસારને ઈન્ચાર્જ તરીકે મૂક્યા છે. આ અગાઉ તેમને પાછલા વર્ષે પ્રો-વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા. જ્યાં સુધી નવા ચાન્સેલરની નિમણૂક નહીં થાય ત્યાં સુધી જગદીશ ભાવસાર કાર્યભાર સંભાળશે. 

fallbacks

જગદીશ ભાવસારની વાત કરવામાં આવે તો તેઓ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓ કેજીથી લઈને પીજી સુધીના શિક્ષણ સાથે સંકળાયેલા છે. છેલ્લા 25 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે. અમદાવાદ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે સ્કૂલ બોર્ડથી માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે.  ડો. જગદીશ ભાવસારે એમ.એ. બીએડ અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પણ 20 વર્ષ સુધી કામગીરી કરી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More