હનીફ ખોખર/જૂનાગઢ: સૌરાષ્ટ્રના મેંદરડા નજીક પુલ બેસી ગયો હતો જેમાં પુલ બેસી જતા ત્રણ જેટલી કારો પુલ તૂટવાને કારણે પૂલમાં ફલાઇ છે. આ ઘટનામાં કોઇ ત્રણ લોકોને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ ત્રણ જેટલી કાર પુલ પરથી પસાર થઇ હતી તે દરમિયાન પૂલ એકાએક તૂટી પડતા પસાર થઇ રહેલા વાહનો અંદર ખાબક્યા હતા.
મેંદરડાના માલણકા રોડ પાસેથી નિકળતા પૂલ પહેલેથી જર્જરીત હાલતમાં હતો. સ્થાનિક ગામ લોકો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતા બ્રિજનું કામ કરવામાં આવ્યું નહિ. જેથી જર્જરીત હાલતમાં રહેલો આ બ્રિજ પડી ગયો હતો. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પુલ તૂટી પડતા અંતે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે