Home> Gujarat
Advertisement
Prev
Next

જુનાગઢ : ગીરનારની લીલી પરિક્રમા કરવા જતા પહેલા આ જરૂર વાંચો, નહી તો પસ્તાશો...

જિલ્લા કલેક્ટર દ્વારા વાવાઝોડાને ધ્યાને રાખીને લીલી પરિક્રમા અંગે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે

જુનાગઢ : ગીરનારની લીલી પરિક્રમા કરવા જતા પહેલા આ જરૂર વાંચો, નહી તો પસ્તાશો...

જુનાગઢ: મહા વાવાઝોડા ને કારણે ગીરનાર પરિક્રમા પર પણ અસર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ગીરનાર પરિક્રમા 8 નવેમ્બરની રાત્રે જ ખુલ્લી મુકવામાં આવશે તેવો પરિપત્ર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગીરનાર પરિક્રમા નિયત તારીખના ચાર પાંચ દિવસ પહેલાં શરૂ થઈ જતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાને કારણે ગિરનાર પરિક્રમાના માર્ગ ઉપર અને જૂનાગઢમાં વરસાદ પડે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

fallbacks

રાજકોટ: ભારત-બાંગ્લાદેશના ખેલાડીઓને મળશે આ નાસ્તો, અગાઉ ઉડ઼ાવી હતી મજાક

નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !
ગીરનારની પરિક્રમા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગીરનારની તળેટીમાં ઉમટી પડતા હોય છે. ચાર દિવસ પહેલાથી જ આ યાત્રા ચાલુ કરી દેવામાં આવતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યું છે. તેવી સ્થિતીમાં કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા પરિક્રમાના દિવસે જ એટલે કે કારતક સુદ અગિયારસ (08-11-2019) ના દિવસે જ પરિક્રમા રૂટ મોડી રાત્રે ખુલ્લો મુકવામાં આવશે. જેથી વહેલા આવી જતા યાત્રીઓએ તેમની વ્યવસ્થા કરીને આવવા જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More