Home> Gujarat
Advertisement
Prev
Next

ગઢવીએ કેજરીવાલને ભરાવ્યા: ચૈતર વસાવાને આંગળી પકડી રાજકારણ શીખવનાર પર BJPનો દાવ, AAPને ટેન્શન

Loksabha Election 2024: હવે ભાજપે ભરૂચ બેઠક પર એમનો તોડ કાઢી લીધો છે. ભાજપ આદીવાસી નેતા મહેશ વસાવા માટે લાલ જાજમ પાથરી રહી છે જેમાં મહેશ વસાવાના દાવા પ્રમાણે તેમના પિતાની પણ સહમતિ છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક પર 7માંથી 6 સીટો ભાજપ પાસે છે.

ગઢવીએ કેજરીવાલને ભરાવ્યા: ચૈતર વસાવાને આંગળી પકડી રાજકારણ શીખવનાર પર BJPનો દાવ, AAPને ટેન્શન

Loksabha Election 2024: કેજરીવાલે ગુજરાતની 2 બેઠકો માટે દિલ્હી અને હરિયાણાની બેઠકો પર પોતાનો દાવો છોડ્યો છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના ભરોસે કેજરીવાલે આ રિસ્ક લીધું છે પણ ચૈતર વસાવાને આંગળી પકડી રાજકારણ શીખવનાર પર ભાજપ હવે દાવ રમી રહી છે. ચૈતર વસાવા ભલે હાલમાં આપના ધારાસભ્ય કહેવાતા પણ તેઓ પહેલાં બીટીપી પાર્ટીમાં છોટુ વસાવા અને મહેશ વસાવાની પાર્ટીમાં હતા. ચૈતરે રાજકારણના ગુણ છોટુ વસાવા પાસેથી શીખ્યા છે. બીટીપીના વધતા દબદબા અને પિતા પુત્ર વચ્ચે ડખામાં ચૈતર વસાવાને અલગ ચીલો ચાતરતાં તેઓ આજે આપના ધારાસભ્ય છે. 

fallbacks

જોઈલો તસવીરો..અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો, ઘણા વિસ્તારોમાં કરા પડ્ય

હવે ભાજપે ભરૂચ બેઠક પર એમનો તોડ કાઢી લીધો છે. ભાજપ આદીવાસી નેતા મહેશ વસાવા માટે લાલ જાજમ પાથરી રહી છે જેમાં મહેશ વસાવાના દાવા પ્રમાણે તેમના પિતાની પણ સહમતિ છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક પર 7માંથી 6 સીટો ભાજપ પાસે છે. જે બેઠક પરથી ચૈતર વસાવા જીત્યા છે એજ બેઠક મહેશ વસાવાનો ગઢ રહી છે. જો મહેશ વસાવા અને ભાજપ એક થાય તો ચૈતર વસાવાને મોટો ઝટકો આપી શકે તેમ છે. 2017માં આ જ બેઠક પરથી મહેશ વસાવા ધારાસભ્ય બન્યા હતા. આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવા અને મહેશ વસાવાનું પ્રભુત્વ છે. આમ ભાજપે ચૈતરને હરાવવા માટે તોડ શોધી લીધો છે. જે આપને ભારે પડી શકે છે. કેજરીવાલે ઈસુદાનના ભરોસે ગુજરાતમાં કોંગ્રેસ સાથે સોદો કર્યો છે. હવે આ સોદો ભારે પડે તેવી સંભાવના છે. 

હું દરરોજ પીવું છું, ફોટો-વીડિયો જે લેવું હોય એ લઈ લો, શિક્ષકને કોઈના બાપની બીક નથી!

આદિવાસી નેતાની છાપ ધરાવતા છોટુ વસાવાએ મહેશ વસાવાના પિતા છે. જેઓ સાત વખતથી ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જેઓ તેમના પિતા તથા સસરા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા છે. હવે, તેમના દીકરા મહેશને રાજકીય વારસ માનવામાં આવે છે. ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે. આ માટે તેઓ ભૂતકાળમાં કૉંગ્રેસ, એમઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે. હવે બાપ દીકરો એક સાથે મળીને ભાજપને ટેકો જાહેર કરે તો આદીવાસી બેલ્ટ પર મોટી અસર કરી શકે છે. 

હાર્દિક સાથે ટ્રેનિંગ કરવી ઈશાન કિશનને પડી ભારે! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

ચૈતર વસાવા સામે મોરચો
2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, છોટુ વસાવા સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 17 અને વાલિયા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયેલા છે. જ્યારે પુત્ર મહેશ વસાવાની 2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, તેમની સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં 15 અને વાલિયા પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં આઠ ગુના નોંધાયેલા હતા. પિતા-પુત્ર પર હથિયારધારો અને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાના પ્રયાસ) અને 120-બી (ગુનાહિત કાવતરું ઘડવું) જેવી ગંભીર કલમો હેઠળના ગુના પણ નોંધાયેલા છે. પિતા-પુત્રને કોઈ પણ કેસમાં બે વર્ષથી વધુની સજા ન થઈ હોઈ, 'લોક પ્રતિનિધિ ધારા-1951'ની જોગવાઈઓ તેમની ઉપર લાગુ નથી પડતી અને તેઓ ચૂંટણી લડવા માટે ગેરલાયક નથી ઠર્યા. હવે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૈતર વસાવા સામે મોરચો માંડે તો નવાઈ નહીં.

3 વખત આપ્યા બોનસ શેર, આ મલ્ટીબેગર સ્ટોકે 1 લાખ રૂપિયાના બનાવી દીધા 5 કરોડ

ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે
લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે.

બલ્ગેરિયન યુવતી રેપ કેસમાં નવું નામ આવ્યું, ફરિયાદ ન કરવા કહેનાર રિટાયર્ડ DG કોણ

વર્ષ 2017માં મહેશ વસાવા જીત્યા હતા
દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેથી તમામ રાજકીય પક્ષોએ આદિવાસી મતદારોને આકર્ષવા માટે આ વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. દેડિયાપાડાની ગત ચૂંટણી વિશે વાત કરીએ તો 2017માં અહીં ભાજપ કે કોંગ્રેસની BTPના ઉમેદવાર જીત્યા હતા. બીટીપીના મહેશ વસાવા ગત ટર્મમાં જીત્યા હતા. મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી. 2012માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોતીલાલ વસાવા જીત્યા હતા. 

અંબાણી પરિવાર સાથે નાચતા નાચતા રિહાના ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની, કપડાં ફાટી ગયા, Photos

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડ બેઠક પર 2019માં ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. આ બેઠક પર ભાજપે હિતેશ વસાવા પર વિશ્વાસ મૂક્યો હતો. જ્યારે કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને અને BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ બહાદુરસિંહ વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ચૈતર વસાવા વિજેતા થયા હતા. જેઓ હાલમાં આપના લોકસભાના ઉમેદવાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More