Home> Gujarat
Advertisement
Prev
Next

‘કેસરી વીર’માં ફરી જીવંત થયા વીર હમીરજી, સોમનાથની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપી હતી

Kesari Veer Movie : બોલિવુડ ફિલ્મ 'કેસરી વીર : લેજેન્ડ્સ ઑફ સોમનાથ' રિલિઝ થઈ છે ત્યારે મંદિર માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર વીર હમીરજી ગોહિલની ભવ્ય ગાથાને ફરી યાદ કરીએ 
 

‘કેસરી વીર’માં ફરી જીવંત થયા વીર હમીરજી, સોમનાથની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપી હતી

veer hamirji gohil : ગુમનામ નાયકોને ભલે ઈતિહાસના પાના પર લખાયેલી વાર્તાઓમાં જગ્યા ન મળી, પરંતુ તેમની બહાદુરી, વીરતા અને બલિદાન કોઈ લોકપ્રિય નાયકથી ઓછા નથી. છેલ્લા દોઢ દાયકાથી આવી વાર્તાઓ બોલિવુડમાં ફિલ્મો દ્વારા કહેવાઈ રહી છે.  ફિલ્મ કેસરી વીર આવા ઉમદા હેતુથી બનાવવામાં આવી છે. તે સોમનાથના રક્ષા કાજે આવેલા મહાન યોદ્ધા હમીર જી ગોહિલની વાર્તા કહે છે. તેમણે હિન્દુ ધર્મના પ્રતીક સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.

fallbacks

ફિલ્મ કેસરી વીર વિશે...
સુનિલ શેટ્ટી અને સૂરજ પંચોલીની ફિલ્મ 'કેસરી વીર' એક ઐતિહાસિક ડ્રામા છે. ફિલ્મની વાર્તા 14મી સદીમાં સોમનાથ મંદિર પર થયેલા હુમલા અને બહાદુર યોદ્ધાઓની બહાદુરી પર આધારિત છે. આ ફિલ્મ સાથે, સૂરજ પંચોલીએ 4 વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી છે. ઉપરાંત, વિવેક ઓબેરોય પણ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. સકનિલ્કના અહેવાલ મુજબ, તે 60 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી.

કોણ છે વીર હમીરજી 
ભારતમાં એવા વીર યોદ્ધા થઈ ગયા છે, જેઓએ દેશ કાજે, ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આવા જ એક ગુજરાતના વીર યોદ્ધા હતા હમીરજી ગોહિલ. જેો સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. ગોહિલવાડમાં જન્મેલા આ વીરની ગાથા આજે ગામેગામ ગવાય છે. ઝફરખાને સોમનાથ પર હુમલો કર્યો ત્યારે હમીરજી ગોહિલે નવ દિવસ સુધી ઝફરખાનના સૈન્યનો સામનો કર્યો હતો.  

આને ચોમાસું સમાજવાની ભૂલ ન કરતા! ગુજરાતમાં અચાનક કેમ આવ્યો ધોધમાર વરસાદ, આવ્યા નવા અપડેટ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથ થી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી.

fallbacks

સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન દર વર્ષે કરવામા આવે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ લાઠીથી આવેલા વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને પાઘ પૂજા કરાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથથી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલા વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી. ત્યારે ગુજરાતના આ વીરની શૌર્યગાથા અદભૂત છે. 

હમીરજીએ શૂરવીરો એકઠા કરીને ઝફરખાનનો પડકાર ઝીલ્યો હતો, સોમનાથને તૂટતુ બચાવવા શૂરવીરોને લડાઈ માટે તૈયાર કર્યા હતા. દસમા દિવસે હમીરજી ફરી ઝફરખાનની ફૌજ સામે પડ્યા હતા. આ આક્રમણથી ઝફરખાન પણ હેબતાઈ ગયો હતો. તેણે પોતાના સૈન્યને અડધા ગાઉ સુધી પાછુ લઈ લીધું હતું. તે દિવસું યુદ્ધ બંધ થયું હતું. 

અગિયારમા દિવેસ હમીરજી અને તેના સાથીઓએ શિવલિંગને જળથી સ્થાન કરાવ્યું, અને એકબીજાને છેલ્લા જુહાર કરી રણમેદાનમાં ઉતર્યા હતા. ભયંકર યુદ્ધ ચાલ્યું, સાંજ પડતા હમીરજી અને બે યોદ્ધા જ બચ્યા હતા. તેઓ પૂરતી તાકાતથી સોમનાથને બચાવવા લડ્યા હતા. હમીરજીનુ આખુ શરીર હોમાઈ ગયુ હતું. અંતે ઝફરખાને સૈનિકોને લઈને હમીરજીને ઘેરી લીધા હતા. તેમની માથે એકસામટી દસ તલવારો પડી હતી. આખરે હમીરજી સોમનાથની રક્ષા કરતા કરતા ઢળી પડ્યા હતા. તેના બાદ મંદિર તૂટ્યું હતું.  

આ કારણે આજે પણ હમીરજી સોમનાથમાં પૂજાય છે. તેમના વંશજો સુરપુરા તરીકે આજે પણ તેમને પૂજે છે. સોમનાથ મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે હમીરજી ગોહિલની ડેરીઓ આવેલી છે. તેમનો પાળિયો આજે પણ પૂજાય છે.

સરકારી મિલકત પર ત્રણ માળની બિલ્ડીંગ બનાવી ભાડું કમાતો હતો આ ગુજરાતી, ફર્યુ બુલડોઝર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More