Kheda News નચિકેત મહેતા/ખેડા : ખેડાની ફેમસ મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર રિદ્ધી સુથારનો આપઘાત રહસ્યમયી બની રહ્યો છે. આપઘાતના બે દિવસ બાદ પણ રિદ્ધી સુથારે કેમ મોત વ્હાલુ કર્યું તે કારણ સામે આવ્યું નથી. મોડેલ રિદ્ધિ સુથાર આપઘાત કેસમાં વડતાલ પોલીસને કોઈ પુરાવો હાથ લાગ્યો નથી.
કેનાલ પાસે રિદ્ધીની કાર ચાલુ હાલતમાં હતી
ત્રણ દિવસ પહેલા રિદ્ધિ સુથારે લાંભવેલ પાસેની કેનાલમાં પડતું મૂકીને આપઘાત કર્યો હતો. ત્યારે વડતાલ પોલીસ દ્વારા આપઘાત કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, પરંતું ઘટનાના ત્રણ દિવસ બાદ પણ પોલીસને કંઈ હાથ લાગ્યુ નથી. મૃતક રિદ્ધિ સુથારની કાર નહેર પાસેથી ચાલુ હાલતમાં મળી આવી હતી, જેથી તેની સાથે કોઈ હતું કે કેમ તે લઈ ને પણ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે.
પોલીસને રિદ્ધીનો મોબાઈલ પણ નથી મળ્યો
તો હજી સુધી મૃતક રિદ્ધિ સુથારનો મોબાઇલ ફોન હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી તેનો ફોન નહેરમાં પડી ગયો કે પછી કોઈ અન્ય જગ્યાએ નાંખી દેવામાં આવ્યો તેને લઈ પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે સાથે તેના મોબાઈલ ફોનના આધારે સીડીઆર ચેક કરાઈ રહ્યાં છે જેમાં તેણે આપઘાત કર્યો તે દિવસે કોના કોના સંપર્કમાં હતી અને કોની સાથે કેટલી વાર ફોન પર વાત કરી જેવી બાબતો પર પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાતમાં કંઈક મોટું કરવા જઈ રહ્યાં છે કેજરીવાલ, 48 કલાકમાં બોલાવી મોટી બેઠક
આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઇ નીતિરાજસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર હજુ સુધી આપઘાત કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મૃતક રિદ્ધિ ના ગુમ થયેલા મોબાઈલ ફોનની શોધખોળ કરવામાં આવી રહી છે. મોબાઇલ ફોનના મારફતે ઘણી બધી વિગતો જાણવા મળશે અને આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
મૃતક રિદ્ધિ સુથારે આપઘાતનું પગલું કેમ ભર્યું આખરે અપઘાત કરવા પાછળનું કારણ હતું શું... તેની કોઈ માહિતી વડતાલ પોલીસ હજી સુધી મેળવી શકી નથી.
રાજકુમાર જાટના કેસમાં નવો વળાંક, પૂર્વ ધારાસભ્યના બંગલામાં કંઈક એવું બન્યું હતું કે
રિદ્ધીના પતિ અને પિતાની પૂછપરછ
રિદ્ધિના વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયામાં મૂકાયેલી પોસ્ટની કૉમેન્ટની પણ તપાસ શરૂ કરાઈ છે. મૃતક રિદ્ધિ સુથારની ધાર્મિક વિધિ પૂર્ણ થતાં જ પોલીસ પરિવારની પૂછપરછ કરશે. પિતા અને પતિની હાલ સામાન્ય પૂછપરછ કરાઈ છે.
રિદ્ધી સુથારના પતિ ભાજપના નેતા
બોરીયાવીના રૂષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે દોઢ વર્ષના બાળકની માતા રિદ્ધ સુથારના આપઘાતથી બોરીયાવીમાં ચર્ચાઓ ઉઠી છે. એવું તો શું થયું કે રિદ્ધી સુથારને મોત વ્હાલુ કરવું પડ્યું. રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઈનફલ્યુન્સર તરીકે ફેમસ હતી. તો પતિ રૂષિલ પટેલ તાજેતરમાં જ બોરીયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે.
રાજકુમાર જાટના કેસમાં નવો વળાંક, પૂર્વ ધારાસભ્યના બંગલામાં કંઈક એવું બન્યું હતું કે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે