Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના લોડાઈ પ્રાથળીયા આહીર સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈ વૈભવી લગ્ન પર પ્રતિબંધ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.
વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેમાં પણ સંતાનોના ભણતરના ખર્ચા પણ માતાપિતા માટે આકરા પડી જાય છે. આવામાં સમાજમાં ફેલાયેલી કેટલીક કુપ્રથાઓ પરિવારોને મુશ્કેલીમાં મૂકી દે છે. સમાજમાં રહેવું હોય તો આ પ્રથાઓ અમલ કરવી પડે છે. પરંતું સમય સાથે હવે બદલાવની જરૂર છે.
કચ્છના લોડાઈ પ્રાથળીયા આહીર સમાજે એક મોટો અને વિચારજનક નિર્ણય લીધો છે, જેના દ્વારા સમાજમાં ખર્ચો અને અનાવશ્યક દેખાવ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા ઠરાવ અનુસાર હવે આહીર સમાજમાં લગ્ન પ્રસંગમાં કડક નિયમો લાગૂ કરાયા છે.
કંઈક તો નવાજૂની થશે! PM મોદીના ગુજરાત આગમન પહેલા મુખ્યમંત્રીને દિલ્હીથી તેડું આવ્યું
સમાજ સુધારણના માર્ગે આ નિર્ણયો લેવાયા
સમાજના શામજીભાઈ આહિરે જણાવ્યું કે, આ નિર્ણય સમાજના મોટુ જૂથ દ્વારા સમંત થયા બાદ અમલમાં મુકવામાં આવ્યો છે. આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ લગ્ન ખર્ચમાં ઘટાડો, સમાનતા અને પ્રાચીન પરંપરાઓને પુનઃસ્થાપિત કરવાનો છે. આવો નિર્ણય અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.
ભૂરાભાઇ આહીરે કહ્યું કે, અમારા લોડાઇ પ્રાથરિયા આહીર સમાજમાં ભૂજની આસપાસનાં 30 ગામનો સમાવેશ થાય છે. આજથી એકાદ બે વર્ષ પહેલાંની વાત છે. સમાજની કેટલીક બહેનો અને માતાઓએ સમાજની સમક્ષ લગ્ન પ્રસંગમાં અપાતા સોનાના દાગીનાઓને લઇને વેદનાઓ વ્યક્ત કરી હતી. આ વાત સતત અમારા દિમાગમાં હતી. અમે પણ બે એક વર્ષથી આ અંગે કંઇક નિર્ણય લેવાય તે માટે પ્રયાસમાં હતા.
અડધા ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, 10 તાલુકામાં ત્રાટક્યો વરસાદ, ગોંડલમા તારાજી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે