Vijay Rupani Funeral Live Updates: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અંતિમ સફરે નીકળશે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ તેમના પરિવારને વિજય રૂપાણીનો પાર્થિવ દેવ રાજકીય સન્માન સાથે સોંપવામાં આવ્યો. જે બાદ 12 વાગ્યાની આસપાસ હવાઈ માર્ગેથી પરિવાજનો મૃતદેહ લઈને રાજકોટ જવા રવાના થશે. સાંજે 4થી 5 વાગ્યા સુધી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાશે. 5 વાગ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે, અને રામનાથ પરા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પંચમહાભૂતમાં વિલિન થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે
પૂર્વ CM પંચમહાભૂલમાં વિલીન
બે કલાક ચાલેલી સ્મશાનયાત્રામાં હૈયેહૈયું દળાય એટલી ભીડ જામી હતી. તેમજ રાજકોટવાસીઓ તેમના પ્રિય નેતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા અને અંજલિ આપવા માટે લાઇનો લગાવી હતી. વરસતા વરસાદમાં પણ વિજયભાઈને વિદાય આપવા લોકોની ભીડ જામતી જતી હતી. રામનાથપરા સ્મશાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
અંતિમ યાત્રા કાલાવડ રોડ BAPS મંદિર પહોંચી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રા કાલાવડ રોડ BAPS મંદિર પહોંચી છે. અહીં વરસતા વરસાદ વચ્ચે વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. હવે અંતિમયાત્રા મહિલા કોલેજ અન્ડર બ્રિજ થઈ એસ્ટ્રોન ચોક જશે.
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયું
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર છે.
#WATCH राजकोट: गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी का अंतिम संस्कार पूरे राजकीय सम्मान के साथ किया जा रहा है।
केंद्रीय गृह मंत्री अमित शाह, मुख्यमंत्री भूपेंद्र पटेल और गुजरात के राज्यपाल आचार्य देवव्रत भी मौजूद हैं। pic.twitter.com/ukAQjrRFZF
— ANI_HindiNews (@AHindinews) June 16, 2025
અમિત શાહે વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
#WATCH राजकोट, गुजरात: केंद्रीय गृह मंत्री अमित शाह ने गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी को अंतिम श्रद्धांजलि अर्पित की।
12 जून को एयर इंडिया विमान दुर्घटना में उनका निधन हो गया था। pic.twitter.com/q75aI0ePE4
— ANI_HindiNews (@AHindinews) June 16, 2025
Vijay Rupani Funeral Live Updates: વિજય રૂપાણીના નિવાસસ્થાને જમાવડો
વિજયભાઈના નિવાસ્થાને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. કોર્પોરેટરથી લઈ મંત્રીમંડળ તેમજ ટોચના નેતાઓ તેમના ઘરે પહોંચ્યા છે. તો સંતો મહંતોની પણ હાજરી જોવા મળી. ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો. મંત્રી ભાનુબેન બાબરીયા પણ પહોંચ્યા.
Vijay Rupani Funeral Live Updates: ગ્રીનલેન્ડ ચોકડીથી પાર્થિવ દેવને લઈ જવાયો
ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા રોડ પર સ્વ. વિજય રૂપાણીના પાર્થિવદેહને લઈને યાત્રા શરૂ થઈ ગઈ છે. જેના બાદ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવનાર છે.
Vijay Rupani Funeral Live Updates: વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે લાઈન લાગી
વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટમાં અત્યારથી જ લોકોની લાઈનો લાગી છે. તેમના ઘરની બહારથી સેંકડો લોકોની લાઈનમાં ઉભા છે. ચાર વાગ્યાથી વિજય રૂપાણીના નિવાસ સ્થાનની બહાર અંતિમ દર્શન થઈ શક્શે.
Vijay Rupani Funeral Live Updates: રાજકોટ પહોંચ્યો રૂપાણીનો પાર્થિવ દેહ
રૂપાણી પરિવાર પાર્થિવદેહ સાથે હીરાસર એરપોર્ટ પહોંચી ગયો છે. તો બીજી તરફ વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને લોકો ઉમટી પડ્યાં છે. ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે.
Vijay Rupani Funeral Live Updates: ખબર અંતર પૂછ્યા અને સ્વજનોને સાંત્વના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને હતભાગીઓના પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે મંત્રીઓ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રાહત-બચાવની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યાં હતાં. મુખ્યમંત્રીએ હોસ્પિટલના D2 બ્લોક ખાતે કાર્યાન્વિત કરાયેલા વેરિફિકેશન રૂમની મુલાકાત લીધી હતી તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. DNA નમૂના મેપિંગની સમગ્ર પ્રક્રિયા અને તેની બારીકીઓથી માહિતગાર થયા હતા અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને ઝડપી રાહત, સંપૂર્ણ તપાસ અને પીડિતો તથા તેમના પરિવારોને વ્યાપક સહાય સુનિશ્ચિત કરવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રાજ્ય સરકારે પૂર્વ મુખ્યમંત્રીની અંતિમ વિદાયને ગૌરવમય બનાવી અદકેરું સન્માન આપ્યું હતું. આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે તેમના યુગદર્શી નેતૃત્વ, જાહેર જીવનમાં નૈતિકતા અને કરુણા, લોકહિતનાં કાર્યોને સ્મરણ કરી, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ની સાથે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અનેક સંસ્થાઓ -સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
૧૨ જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં રાજ્ય શોકાતુર બન્યું હતું. તેમની અંતિમ યાત્રા રાજકોટ ખાતે યોજાનાર છે.
Vijay Rupani Funeral Live Updates: સિવિલ હોસ્પિટલથી મહત્વની માહિતી
આરોગ્ય વિભાગ દ્વારા મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ડીએનએ સેમ્પલ મેચિંગની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતા અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. ડીએનએ સેમ્પલ મેચિંગ બાદ મૃતકોના સ્વજનોનો સંપર્ક કરીને તેમને બોલાવવાથી લઈને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા સુધીની તમામ કાર્યવાહી સુપેરે પૂર્ણ કરવાના હેતુસર રાજ્યના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
Vijay Rupani Funeral Live Updates: મહેશ મહેતા વિજય રૂપાણીના બાળપણના મિત્ર સાથે વાતચીત
વિજય રૂપાણીના મિત્ર મહેશ મહેતાએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી. મહેશ મહેતા સાથે વિજય રૂપાણીએ અંતિમ વીડિયો કોલ કર્યો હતો. મહેશભાઈએ કહ્યું, દીકરી રાધિકા માટે ખરીદી કરવા ગયા હતા અને લંડન જાવ છું તેવું કહ્યું હતું. તો મહેશ મહેતાના દીકરી ઉત્સવબેન મહેતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેઓએ કહ્યું કે, ''વિજય અંકલ આ શું થઈ ગયું''.
Vijay Rupani Funeral Live Updates: રૂપાણીના મિત્રો લોસ એન્જસલસથી રાજકોટ આવશે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મિત્રો અંતિમ વિદાય આપવા ઉપસ્થિત રહેશે. લોન્સ એન્જલસથી કનકસિંહ ઝાલા રાજકોટ આવવા રવાના થયા છે, અને આજે અંતિમ યાત્રામાં પહોંચશે. વિજય રૂપાણી લોસ એન્જલસ જતા તો કનકસિંહ ઝાલાના ઘરે જ રોકાતા. વિજય રૂપાણીનું ઘરમાં આરતી ઉતારી સ્વાગત કરવામાં આવતું. આજે મિત્રને વિદાય આપવા તેમના મિત્રો આવશે. વિજય રૂપાણીના દીકરા ઋષભ આ મિત્રને ઘરે રહેતા તે સમયનો વીડિયો સામે આવ્યો છે. જેમાં અંજલી રૂપાણી કહે છે કે, મારા દીકરા માટે તો તે અહીં મમ્મી-પપ્પા છે.
Vijay Rupani Funeral Live Updates: ખોડલધામમાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવાયો
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજ્ય સરકાર દ્વારા રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શ્રી ખોડલધામ મંદિરે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો. વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોના આત્માની શાંતિ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રાર્થના કરે છે.
Vijay Rupani Funeral Live Updates: વિજય રૂપાણીનો પાર્થિવદેહ પરિવારને સોંપાયો
રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો. આ સમયે તેમના પત્ની અંજલી રૂપાણી ભાંગી પડ્યા હતા. ત્યારે દીકરા ઋષભે તેમને સંભાળી લીધા હતા. રૂપાણી પરિવાર પર આવેલી આ દુ:ખની ઘડીમાં સાંત્વના આપવા CM મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. હવે વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લઈ જવાશે.
Vijay Rupani Funeral Live Updates: રૂપાણીના પરિવારજનો મૃતદેહ લેવા હોસ્પિટલ પહોંચ્યા
સ્વ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. તો તેમની સાથે અંજલિ રૂપાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંજલિ રૂપાણી અને તેમના પરિવારને મળવા પહોંચ્યા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ સાથે હાજર.
Vijay Rupani Funeral Live Updates: તમામ કચેરીએ ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો
પૂર્વ CMના નિધનના કારણે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો. તમામ સરકારી કચેરીઓ પર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો છે. સચિવાલય અને વિધાનસભામાં રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો.
Vijay Rupani Funeral Live Updates: ત્રણ શોકસભાનું આયોજન
મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીની શોકસભા રાખવામાં આવશે. વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્યું છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીને રાજકોટ સહિત આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. મહત્વનું છે કે, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી. 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં તેઓ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ આ ફ્લાઈટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થનાસભા, રાજકોટ
17 જુન, 2025 મંગળવારે સાંજે 3.00 થી 6.00
પ્રાર્થના સભા સ્થળ : રેસકોર્ષ મેદાન, રાજકોટ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થનાસભા, ગાંધીનગર
19 જુન, 2025 ગુરુવારના રોજ સવારે 9.00 થી 12.00
પ્રાર્થના સભા સ્થળ : હૉલ નં. | એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-૧૭, ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા, ગાંધીનગર
20 જુન, 2025 શુક્રવારે સાંજે સાંજે 4.00 થી 6,00
પ્રાર્થના સભા સ્થળ : કમલમ, કોબા, ગાંધીનગર
Vijay Rupani Funeral Live Updates: રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે અંતિમ સંસ્કાર
ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના પ્રાંગણમાં પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. રાજકોટ ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રા માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. સવારે ૧૧.૩૦ કલાકે તેમના પર પરિવારજનોને મૃતદેહ સોંપાઈ જશે.
Vijay Rupani Funeral Live Updates: ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર
12 જૂને અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની. જેના શિકાર થયેલા હતભાગીઓમાંથી એક નામ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું. DNA મેચ થતા પૂર્વ મુખ્યમંત્રીના મૃતદેહની ઓળખ થઈ છે. ત્યારે હવે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટમાં પુરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરાયો છે, જેથી રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગો પર અડધી કાઠીએ દેશનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત મંત્રી મંડળના સભ્યો હાજરી આપશે. તો મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીની પ્રાર્થનાસભા રાખવામાં આવશે.
Vijay Rupani Funeral Live Updates: આજે વિજય રૂપાણી પાર્થિવ દેહની અંતિમ વિધિ કાર્યક્રમ આ મુજબનો રહેશે
4.00 થી 5.00 નિવાસસ્થાને પાર્થીવદેહના દર્શન
(નિવાસસ્થાન :- પૂજિત, ૨/૫ પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ (સ્કૂલ સામે, રાજકોટ)
5.00 થી 6.00 નિવાસસ્થાનેથી રસમનાથપરા સ્મશાન સુધીની અંતિમ યાત્રા
Vijay Rupani Funeral Live Updates: રાજકીય શોક સાથે આજે રૂપાણીને અંતિમ વિદાય
ગ્રીન લેન્ડ ચોકડીથી નિવાસ સ્થાન સુધી યાત્રાના સ્વરૂપે તેમનો નશ્વરદેહ લઈ જવાશે. પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ દર્શન, ગાર્ડ ઓફ ઓનર્સ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે. સાંજે 5 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે.
Thank you
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.